વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ
Plastic box (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:58 AM

કેટલીક સજાવટની વસ્તુઓ જેમ ઘર (Home) માટે શુભ નથી મનાતી તે જ રીતે કેટલીક વસ્તુઓનો અતિરેક પણ ઘર માટે અશુભ મનાય છે! જેમાં સર્વ પ્રથમ જ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉલ્લેખ કરવો પડે! આજકલ તો પ્લાસ્ટિકની વસ્તુઓનો જ ટ્રેન્ડ છે. ઘરમાં પણ મોટાભાગે પ્લાસ્ટિકના જ ડબ્બા, બોટલો અને થેલીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક એ શરીર માટે હાનિકારક છે. નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

કેટલાંક લોકો કોઈ કારણ વિના જ ઘરમાં જાત-ભાતના પત્થર, તેમજ નંગ ભેગા કરી દેતાં હોય છે. એ જાણ્યા વિના જ કે કયો પત્થર કે નંગ તેમના માટે શુભ છે અને કયો અશુભ? એટલે આવું કરવાનું તો બિલ્કુલ જ ટાળો. કારણ કે ઘરમાં રહેલો એક નાનકડો નકામો પત્થર પણ તમારી ખુશીઓને દુઃખમાં ફેરવી શકે છે ! એટલે આ મુદ્દે ખાસ કોઈ વાસ્તુશાસ્ત્રી પાસેથી જાણકારી મેળવો અને ઘર માટે જરૂરી હોય તેવો જ પત્થર ઘરમાં રાખો!

ઘરમાં સોફા, ખુરશી, ટેબલ કે અન્ય કોઈપણ ફર્નિચર જો તૂટી ગયુ હોય તો તેને પણ બિલ્કુલ ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તૂટેલો સામાન પૈસા અને પ્રગતિ બંન્નેને રોકી દે છે. એમાં પણ બેઠકરૂમનો સોફો તો બિલ્કુલ પણ તૂટેલો ન જ હોવો જોઈએ. સોફા પર લાગેલાં કવર પણ ગંદા કે ફાટેલાં ન હોવો જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફાટેલી ચાદરો, ફાટેલાં ટુવાલ કે ફાટેલાં વસ્ત્રનું ઘરમાં હોવું પણ અશુભ મનાય છે. કેટલાંક લોકોને ફાટેલાં વસ્ત્રના પોટલાં બનાવીને મૂકવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો ચેતી જજો. તે પરિવારની ખુશીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો ફાટેલાં વસ્ત્ર બિલ્કુલ ન પહેરો. ફાટેલા વસ્ત્રના પોટલાં બનાવીને પણ ન રાખો. તેને સરખા કરાવી જરૂરિયાતમંદને દાનમાં આપો અથવા, અન્ય કોઈ ઉપયોગમાં લો.

ઉલ્લેખનીય છે કે દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમા કે ફાટેલી તસવીરોનું ઘરમાં હોવું પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય છે તો જ્યાં ધન રાખવામાં આવતું હોય તે તિજોરી પણ ક્યારેય તૂટેલી ન હોવી જોઈએ. તે આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે તો વાસી શાકભાજી તેમજ સૂકાઈ ગયેલાં પુષ્પોનું ઘરમાં હોવું પણ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">