AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ
Plastic box (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:58 AM
Share

કેટલીક સજાવટની વસ્તુઓ જેમ ઘર (Home) માટે શુભ નથી મનાતી તે જ રીતે કેટલીક વસ્તુઓનો અતિરેક પણ ઘર માટે અશુભ મનાય છે! જેમાં સર્વ પ્રથમ જ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉલ્લેખ કરવો પડે! આજકલ તો પ્લાસ્ટિકની વસ્તુઓનો જ ટ્રેન્ડ છે. ઘરમાં પણ મોટાભાગે પ્લાસ્ટિકના જ ડબ્બા, બોટલો અને થેલીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક એ શરીર માટે હાનિકારક છે. નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

કેટલાંક લોકો કોઈ કારણ વિના જ ઘરમાં જાત-ભાતના પત્થર, તેમજ નંગ ભેગા કરી દેતાં હોય છે. એ જાણ્યા વિના જ કે કયો પત્થર કે નંગ તેમના માટે શુભ છે અને કયો અશુભ? એટલે આવું કરવાનું તો બિલ્કુલ જ ટાળો. કારણ કે ઘરમાં રહેલો એક નાનકડો નકામો પત્થર પણ તમારી ખુશીઓને દુઃખમાં ફેરવી શકે છે ! એટલે આ મુદ્દે ખાસ કોઈ વાસ્તુશાસ્ત્રી પાસેથી જાણકારી મેળવો અને ઘર માટે જરૂરી હોય તેવો જ પત્થર ઘરમાં રાખો!

ઘરમાં સોફા, ખુરશી, ટેબલ કે અન્ય કોઈપણ ફર્નિચર જો તૂટી ગયુ હોય તો તેને પણ બિલ્કુલ ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તૂટેલો સામાન પૈસા અને પ્રગતિ બંન્નેને રોકી દે છે. એમાં પણ બેઠકરૂમનો સોફો તો બિલ્કુલ પણ તૂટેલો ન જ હોવો જોઈએ. સોફા પર લાગેલાં કવર પણ ગંદા કે ફાટેલાં ન હોવો જોઈએ.

ફાટેલી ચાદરો, ફાટેલાં ટુવાલ કે ફાટેલાં વસ્ત્રનું ઘરમાં હોવું પણ અશુભ મનાય છે. કેટલાંક લોકોને ફાટેલાં વસ્ત્રના પોટલાં બનાવીને મૂકવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો ચેતી જજો. તે પરિવારની ખુશીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો ફાટેલાં વસ્ત્ર બિલ્કુલ ન પહેરો. ફાટેલા વસ્ત્રના પોટલાં બનાવીને પણ ન રાખો. તેને સરખા કરાવી જરૂરિયાતમંદને દાનમાં આપો અથવા, અન્ય કોઈ ઉપયોગમાં લો.

ઉલ્લેખનીય છે કે દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમા કે ફાટેલી તસવીરોનું ઘરમાં હોવું પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય છે તો જ્યાં ધન રાખવામાં આવતું હોય તે તિજોરી પણ ક્યારેય તૂટેલી ન હોવી જોઈએ. તે આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે તો વાસી શાકભાજી તેમજ સૂકાઈ ગયેલાં પુષ્પોનું ઘરમાં હોવું પણ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">