Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ
Plastic box (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:58 AM

કેટલીક સજાવટની વસ્તુઓ જેમ ઘર (Home) માટે શુભ નથી મનાતી તે જ રીતે કેટલીક વસ્તુઓનો અતિરેક પણ ઘર માટે અશુભ મનાય છે! જેમાં સર્વ પ્રથમ જ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉલ્લેખ કરવો પડે! આજકલ તો પ્લાસ્ટિકની વસ્તુઓનો જ ટ્રેન્ડ છે. ઘરમાં પણ મોટાભાગે પ્લાસ્ટિકના જ ડબ્બા, બોટલો અને થેલીઓ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે પ્લાસ્ટિક એ શરીર માટે હાનિકારક છે. નિત્ય પ્લાસ્ટિકની પ્લેટમાં ભોજન કરવું કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તો વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધારે પડતો જ પ્લાસ્ટિકનો સામાન ઘરમાં નકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. કહે છે કે તેનાથી વ્યક્તિનો આંતરિક ઉત્સાહ જ સમાપ્ત થઈ જાય છે અને તેને સંકટોનો પણ સામનો કરવો પડી શકે છે.

કેટલાંક લોકો કોઈ કારણ વિના જ ઘરમાં જાત-ભાતના પત્થર, તેમજ નંગ ભેગા કરી દેતાં હોય છે. એ જાણ્યા વિના જ કે કયો પત્થર કે નંગ તેમના માટે શુભ છે અને કયો અશુભ? એટલે આવું કરવાનું તો બિલ્કુલ જ ટાળો. કારણ કે ઘરમાં રહેલો એક નાનકડો નકામો પત્થર પણ તમારી ખુશીઓને દુઃખમાં ફેરવી શકે છે ! એટલે આ મુદ્દે ખાસ કોઈ વાસ્તુશાસ્ત્રી પાસેથી જાણકારી મેળવો અને ઘર માટે જરૂરી હોય તેવો જ પત્થર ઘરમાં રાખો!

ઘરમાં સોફા, ખુરશી, ટેબલ કે અન્ય કોઈપણ ફર્નિચર જો તૂટી ગયુ હોય તો તેને પણ બિલ્કુલ ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો તૂટેલો સામાન પૈસા અને પ્રગતિ બંન્નેને રોકી દે છે. એમાં પણ બેઠકરૂમનો સોફો તો બિલ્કુલ પણ તૂટેલો ન જ હોવો જોઈએ. સોફા પર લાગેલાં કવર પણ ગંદા કે ફાટેલાં ન હોવો જોઈએ.

આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો
Indian Country Liquor : ભારતમાં બનતા દેશી દારૂ, જાણી લો નામ
"ટમ્પનું ટેરિફ લગાવશે મંદીનું ગ્રહણ…", અમેરિકન બેંકે આપી ચેતવણી
Solar AC: ઉનાળામાં સવારથી સાંજ સુધી ચાલશે સોલાર AC, નહીં આવે વીજળીનું બિલ વધારે
શા માટે વારંવાર નિષ્ફળ જાય છે IVF?
IPL ટીમનો કોચ દારૂ વેચી કરે છે કરોડોની કમાણી

ફાટેલી ચાદરો, ફાટેલાં ટુવાલ કે ફાટેલાં વસ્ત્રનું ઘરમાં હોવું પણ અશુભ મનાય છે. કેટલાંક લોકોને ફાટેલાં વસ્ત્રના પોટલાં બનાવીને મૂકવાની આદત હોય છે. જો તમને પણ આવી આદત હોય તો ચેતી જજો. તે પરિવારની ખુશીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. યાદ રાખો ફાટેલાં વસ્ત્ર બિલ્કુલ ન પહેરો. ફાટેલા વસ્ત્રના પોટલાં બનાવીને પણ ન રાખો. તેને સરખા કરાવી જરૂરિયાતમંદને દાનમાં આપો અથવા, અન્ય કોઈ ઉપયોગમાં લો.

ઉલ્લેખનીય છે કે દેવી-દેવતાઓની ખંડિત પ્રતિમા કે ફાટેલી તસવીરોનું ઘરમાં હોવું પણ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ અયોગ્ય છે તો જ્યાં ધન રાખવામાં આવતું હોય તે તિજોરી પણ ક્યારેય તૂટેલી ન હોવી જોઈએ. તે આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે તો વાસી શાકભાજી તેમજ સૂકાઈ ગયેલાં પુષ્પોનું ઘરમાં હોવું પણ વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !

MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
g clip-path="url(#clip0_868_265)">