AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!

તમારા ઘરમાં રાખેલી વસ્તુઓ પર એક નજર ફેરવી લો. જી હાં ઘણીવાર ઘરમાં જ રહેલી એક નાનકડી વસ્તુ પણ વ્યક્તિની પ્રગતિમાં અવરોધક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેને લીધે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે! આવી વસ્તુઓની હાજરીથી તો વાસ્તુપૂજા પણ નિષ્ફળ જતી રહે છે !

ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર હોવા છતાં શું કલેશ વર્તાય છે? ઘરની કોઈ વસ્તુ જ હોઈ શકે વાસ્તુદોષનું કારણ!
Home ( symbolic image )
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 29, 2022 | 6:34 AM
Share

ઘર એટલે માત્ર સરનામું જ નહીં પરંતુ, ખુશીઓનું સરનામું. ભારતીયો (INDIAN) માટે ઘર એ માત્ર રહેવાની જગ્યા જ નહીં, પરંતુ, તેમના અસ્તિત્વની ઓળખ છે અને એટલે જ આ ઘરને બનાવવા માટે તેને સજાવવા માટે અને તેને સકારાત્મક ઊર્જાથી ભરેલું રાખવા માટે તેઓ જીવનભર દોડતા જ રહે છે. તમે પણ કદાચ આવું કર્યું જ હશે. પણ, શું તમારા ઘરમાં ખુશીઓ અકબંધ છે ખરી?

આજે તો મોટાભાગે લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ ઘરનું નિર્માણ કરાવતા હોય છે. એટલું જ નહીં ઘરમાં રહેવા જતાં પૂર્વે શાસ્ત્રોક્ત વિધિથી વાસ્તુપૂજન પણ કરાવતા હોય છે પણ તેમ છતાં એવું બને કે ઘર વાસ્તુ અનુરૂપ હોવા છતાં ઘરમાં સતત કલેશ જ વર્તાયા કરે! બધું જ બરાબર ચાલી રહ્યું હોય અને પછી એકાએક મુસીબતો આવવા લાગે! એટલું જ નહીં ધીમે ધીમે આર્થિક સંકડામણનો પણ સામનો કરવો પડે! ક્યાંક તમારી સાથે પણ આવું તો નથી થઈ રહ્યું ને ?

જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારા ઘરમાં રાખેલી વસ્તુઓ પર એક નજર ફેરવી લો. જી હાં ઘણીવાર ઘરમાં જ રહેલી એક નાનકડી વસ્તુ પણ વ્યક્તિની પ્રગતિમાં અવરોધક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, તેને લીધે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે! એટલે નકારાત્મક ઊર્જાને ઉભી કરતી વસ્તુઓને ક્યારેય પણ ઘરમાં ન જ રાખવી જોઈએ. આવી વસ્તુઓની હાજરીથી તો વાસ્તુપૂજા પણ નિષ્ફળ જતી રહે છે!

ઘરની અને ઘરમાં રહેનારાઓની પ્રગતિને અવરોધતી આવી વસ્તુઓ વિશે વાત કરીએ ત્યારે સર્વ પ્રથમ જ ધ્યાન દોરવું પડે ઘરની સફાઈ પર. કહે છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મી નિવાસ કરે છે! જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ ખુશીઓનો વાસ થતો હોય છે! એટલે સૌથી વધુ જરૂરી એ છે કે નિયમિત ઘરની સફાઈ કરવામાં આવે.

કેટલાંક લોકો જાળાને કરોળિયાનું ઘર સમજે છે અને એને તોડતા અચકાય છે. જો કે, કરોળિયા જાળાનું નિર્માણ રહેવા માટે નહીં, પરંતુ, શિકારને ફસાવવા માટે કરે છે. એટલે બિલ્કુલ અચકાયા વિના સૌથી પહેલાં તો ઘરના જાળાને જ દૂર કરી દો. ઘરમાં જાળા બિલ્કુલ જ ન હોવા જોઈએ. કેમ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના જાળા તો સારા દિવસોને પણ ખરાબ દિવસોમાં ફેરવી દે છે !

ગંદકીની જેમ જ ભંગારની વસ્તુઓ પણ વાસ્તુદોષનું નિર્માણ કરે છે. કહે છે કે ઘરમાં તૂટેલી વસ્તુઓ, અરીસા કે તૂટેલાં ઈલેક્ટ્રોનિક્સ પણ ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા ઊભી થાય છે અને વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ

આ પણ વાંચો : શું તમારા ઘરમાં પણ છે આવાં ચિત્ર ? એક ચિત્ર નોતરી દેશે મોટી મુસીબત !

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">