AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Remedies For Purse : શું તમારા વોલેટમાં પણ નથી ટકતા રૂપિયા ? તો જાણો પર્સ સંબંધીત આ નિયમો

Astro Remedies For Purse : જો તમને હંમેશા એવી ફરિયાદ રહે છે કે મહેનત કર્યા પછી પણ તમારું પાકીટ કે પર્સ હંમેશા ખાલી રહે છે, તો વાસ્તુ સંબંધીત આ નિયમોનું પાલન કરો, પર્સમાં થશે ધન સંચય.

Astro Remedies For Purse : શું તમારા વોલેટમાં પણ નથી ટકતા રૂપિયા ? તો જાણો પર્સ સંબંધીત આ નિયમો
Astro Remedies For Purse
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2022 | 2:15 PM
Share

Vastu Shastra tips : આપણે ઘણીવાર પર્સ, તિજોરી, લોકર વગેરેમાં આપણી મહેનતથી કમાયેલી આવક રાખતા હોઈએ છીએ. કેટલાક લોકો પર્સમાં રાખેલા નાણા વિશે ફરિયાદ કરતા હોય છે કે પૈસા પર્સમાં રાખતાની સાથે જ ઝડપથી ખર્ચ થઈ જાય છે અથવા એમ કહીએ કે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ પૈસા તેમના પર્સમાં ટકતા નથી. જો તમને પણ તમારા પર્સમાં પૈસા ન હોવાની સમસ્યા છે, તો તમારે નીચેના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો આપણે વાસ્તુશાસ્ત્ર દ્વારા જાણીએ કે પર્સમાં પૈસા ભરેલા રાખવા માટે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.

  1. ઘણા લોકોને તેમના પર્સમાં ઘણાં જૂના બિલ, બિનજરૂરી કાગળો અથવા નકામી વસ્તુઓ વગેરે રાખવાની આદત હોય છે. વાસ્તુમાં ધન સ્થાન પર કોઈપણ પ્રકારની ગંદકીને મોટો દોષ માનવામાં આવે છે, વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ધનની જગ્યાએ તિજોરી કે પર્સ જેવી બિનજરૂરી વસ્તુઓ રાખે છે તો ધનની દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે.
  2. વાસ્તુ અનુસાર જે લોકો પોતાના પર્સ અને તેમાં રાખેલા પૈસાને અપવિત્ર અથવા એઠા હાથથી સ્પર્શ કરે છે, તેમના પર્સમાં ક્યારેય પૈસા નથી રહેતા અને તમામ પ્રયાસો પછી પણ તે ખાલી જ રહે છે. શૌચ કર્યા પછી કે જમ્યા પછી ક્યારેય હાથ ધોયા વગર પર્સ ને સ્પર્શ ન કરવો જોઈએ.
  3. વાસ્તુ અનુસાર પર્સમાં હંમેશા સિક્કા અને નોટો અલગ-અલગ રાખવા જોઈએ. આવી સ્થિતિમાં ભૂલથી પણ પર્સના એક જ સેલમાં સિક્કા અને નોટો ન રાખો.
  4. ઘણા લોકો પોતાના પર્સમાં સ્વર્ગસ્થ ગુરુ, પિતા, પતિ કે પત્ની અથવા દેવી-દેવતાઓની તસવીરો રાખવી શુભ માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર, જે લોકો ઈચ્છે છે કે તેમનું પાકીટ હંમેશા ધનથી ભરેલું રહે, તેમણે ભૂલથી પણ તેમાં દેવી-દેવતાઓ અથવા મૃત થયેલા લોકોના ફોટા ન રાખવા જોઈએ.
  5. વાસ્તુ અનુસાર પર્સમાં ફાટેલી નોટો, તીક્ષ્ણ વસ્તુઓ, હાથ ધોવા માટે પેપર વોશ વગેરે ક્યારેય ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર, આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા બનાવે છે જેના કારણે ધનનું આગમન બંધ થઈ જાય છે અને તેને ધનહાનિનો સામનો કરવો પડે છે.

(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">