શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા

અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો.

શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા
Vagh Baras
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 1:39 PM

દિવાળી (Diwali) એટલે તો એ તહેવાર કે જેની સમગ્ર વર્ષ આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. કારણ કે દીપથી ઘરને સજાવવાનો આ અવસર આપણા જીવનને પણ અજવાશથી ભરી દેતો હોય છે અને આ ઉત્સવના પ્રારંભની ઘડી એટલે જ વાઘ બારસ (Vagh Baras) કે જેને આપણે વાક બારસ, વસુ બારસ અને ગોવત્સદ્વાદશીના (Govatsa Dwadashi) નામે પણ ઓળખીએ છીએ. ગોવત્સદ્વાદશીના અવસર પર ગાય માતાના પૂજનનો મહિમા છે.

પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ અર્થે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. તેમાંથી અનેકવિધ રત્નોની પ્રાપ્તિ થઈ. સાથે જ કામધેનુનું પણ પ્રાગટ્ય થયું. દંતકથા એવી છે કે સમુદ્રમંથનમાંથી ગાયનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદી બારસનો હતો. એ અર્થમાં આસો વદી બારસનો દિવસ એ ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. એટલે જ આ દિવસે ગૌમાતાના પૂજનનો સવિશેષ મહિમા છે. ગૌમાતાનો પ્રાગટ્ય દિવસ હોઈ આ દિવસ વસુ બારસ તેમજ ગોવત્સદ્વાદશી તરીકે પણ ઓળખાય છે.

આ દિવસને વાઘ બારસ શા માટે કહે છે તેની સાથે પણ એક અત્યંત રસપ્રદ બાબત જોડાયેલી છે. વાઘ બારસમાં ‘વાઘ’નો અર્થ લોકો ‘વાઘ’ને સમજે છે. પણ, એક માન્યતા અનુસાર પાલતુ પશુઓના ટોળા માટે પણ પૂર્વે વાઘ શબ્દ જ પ્રચલિત હતો. ઘેટા-બકરાંઓનું ટોળુ હોય કે ગાયનું ટોળુ હોય તો તે માટે લોકો વાઘ શબ્દ વાપરતા. તેના પરથી જ ગૌપૂજાની મહત્તા વર્ણવતી આ દ્વાદશી વાઘ બારસના નામે પ્રચલિત થઈ.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

વાઘ બારસને ‘વાક’ બારસ પણ કહે છે. જેમાં ‘વાક’નો અર્થ થાય છે ‘વાણી’. વાઘ બારસ એ તો દેવી સરસ્વતીના પૂજનનો પણ અવસર છે. જે આપણને શુદ્ધ અને સારી વાણીના આશિષ પ્રદાન કરે છે. કહે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિની વાણી લોકોને પ્રિય બને છે. આમ તો ભારતમાં કોઈપણ શુભ અવસર પર ઉંબરા પૂજનની પરંપરા છે. પણ, દીપોત્સવીના અવસર પર વાઘ બારસના રોજથી જ ઉંબરા પૂજનનો પ્રારંભ થાય છે. જે ઘરમાં મંગળત્વના, શુભત્વના આગમનની છડી પોકારે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">