AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !

જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !
Lord Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:01 PM
Share

હનુમાનજીને મહાદેવનો અવતાર કહેવામાં આવે છે. મંગળવાર હનુમાનજીને (Lord Hanumanji) સમર્પિત છે. હનુમાનજીને અમંગલહારી, બજરંગબલી અને સંકટમોચન જેવા નામોથી બોલાવવામાં આવે છે. કારણ કે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને દરેક વસ્તુ શુભ બની જાય છે. જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા જીવનના દુ:ખ જલ્દી દૂર થઈ શકે છે. આ સિવાય મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ બધી પરેશાનીઓનો અંત આવી શકે છે.

1. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરીને પરેશાન થઈ ગયા હોય અને કોઈપણ સંજોગોમાં તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ, સિંદૂર, ચમેલીનું તેલ, ગુલાબની માળા અને ગોળ-ચણા અર્પિત કરો. આ પછી, હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અને તમારી સમસ્યાના અંત માટે ભગવાનને પ્રાર્થના કરો.

2. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તેને ચૂકવવા માટે પણ મંગળવાર સૌથી યોગ્ય દિવસ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે લોનની ચુકવણી કરવામાં આવે તો ભવિષ્યમાં તમારે ક્યારેય ઉધાર લેવાની જરૂર નહીં પડે.

3. જો તમે પરિવારમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છતા હોય તો મંગળવારનું વ્રત રાખો અને તમારી ક્ષમતા અનુસાર ગરીબોને ભોજન કરાવો. દર મંગળવારે ઓછામાં ઓછા એક ગરીબને ભોજન કરાવી શકાય. ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન ન કરો. આમ કરવાથી હનુમાનજીની કૃપાથી અન્ન અને ધનની કમી રહેતી નથી.

4. જો તમે શત્રુઓથી ઘેરાયેલા હોય તો 21 દિવસ સુધી ચોક્કસ સ્થાન પર બેસીને શત્રુનો નાશ કરવા માટે બજરંગ બાણનો પાઠ કરો. તેનાથી તમે થોડા જ સમયમાં દુશ્મનોથી મુક્તિ મેળવી શકશો.

5. જો કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર રહે છે તો દર મંગળવારે એક વાસણમાં પાણી ભરીને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને હનુમાન બાહુકનો પાઠ કરો. ત્યારબાદ આ પાણી પીવો. આ 21 કે 26 મંગળવાર સુધી કરો. આ તમને ખૂબ જ આરામદાયક અનુભવ કરાવશે.

6. મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વડના ઝાડના પાન પર લાલ પેનથી તમારી ઈચ્છા લખો. આ પછી તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ પછી, હનુમાનજીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. સાચા મનથી આ ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ન કરો સતી દ્રૌપદીનું અપમાન ! જાણો, મહાભારતના યુદ્ધ માટે વાસ્તવમાં કોણ હતું જવાબદાર ?

આ પણ વાંચો : Shiv Puja: આ રીતે કરો શિવજીની પૂજા, પાંચ પ્રકારના આશિષની થશે પ્રાપ્તિ

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">