AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !

જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ.

Bhakti: મંગળવારે હનુમાનજી સાથે જોડાયેલા આ ખાસ ઉપાય કરશો, તો જીવનમાં બધું જ મંગલમય થશે !
Lord Hanumanji
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2022 | 6:01 PM
Share

હનુમાનજીને મહાદેવનો અવતાર કહેવામાં આવે છે. મંગળવાર હનુમાનજીને (Lord Hanumanji) સમર્પિત છે. હનુમાનજીને અમંગલહારી, બજરંગબલી અને સંકટમોચન જેવા નામોથી બોલાવવામાં આવે છે. કારણ કે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને દરેક વસ્તુ શુભ બની જાય છે. જો તમારા જીવનમાં સમસ્યાઓનું ચક્ર ક્યારેય સમાપ્ત થતું નથી, તો તમારે બજરંગબલીના (Bajrangbali) શરણમાં જવું જોઈએ અને દર મંગળવારે તેમની વિશેષ પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા જીવનના દુ:ખ જલ્દી દૂર થઈ શકે છે. આ સિવાય મંગળવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી પણ બધી પરેશાનીઓનો અંત આવી શકે છે.

1. જો તમે કોઈ સમસ્યાનો સામનો કરીને પરેશાન થઈ ગયા હોય અને કોઈપણ સંજોગોમાં તેનાથી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો દર મંગળવારે હનુમાન મંદિરમાં નારિયેળ, સિંદૂર, ચમેલીનું તેલ, ગુલાબની માળા અને ગોળ-ચણા અર્પિત કરો. આ પછી, હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો અને તમારી સમસ્યાના અંત માટે ભગવાનને પ્રાર્થના કરો.

2. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તેને ચૂકવવા માટે પણ મંગળવાર સૌથી યોગ્ય દિવસ છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે લોનની ચુકવણી કરવામાં આવે તો ભવિષ્યમાં તમારે ક્યારેય ઉધાર લેવાની જરૂર નહીં પડે.

3. જો તમે પરિવારમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છતા હોય તો મંગળવારનું વ્રત રાખો અને તમારી ક્ષમતા અનુસાર ગરીબોને ભોજન કરાવો. દર મંગળવારે ઓછામાં ઓછા એક ગરીબને ભોજન કરાવી શકાય. ઉપવાસ દરમિયાન મીઠાનું સેવન ન કરો. આમ કરવાથી હનુમાનજીની કૃપાથી અન્ન અને ધનની કમી રહેતી નથી.

4. જો તમે શત્રુઓથી ઘેરાયેલા હોય તો 21 દિવસ સુધી ચોક્કસ સ્થાન પર બેસીને શત્રુનો નાશ કરવા માટે બજરંગ બાણનો પાઠ કરો. તેનાથી તમે થોડા જ સમયમાં દુશ્મનોથી મુક્તિ મેળવી શકશો.

5. જો કોઈ વ્યક્તિ ખૂબ જ બીમાર રહે છે તો દર મંગળવારે એક વાસણમાં પાણી ભરીને હનુમાનજીની મૂર્તિની સામે રાખો અને હનુમાન બાહુકનો પાઠ કરો. ત્યારબાદ આ પાણી પીવો. આ 21 કે 26 મંગળવાર સુધી કરો. આ તમને ખૂબ જ આરામદાયક અનુભવ કરાવશે.

6. મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વડના ઝાડના પાન પર લાલ પેનથી તમારી ઈચ્છા લખો. આ પછી તેને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને હનુમાન ચાલીસા અને શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. આ પછી, હનુમાનજીને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો. સાચા મનથી આ ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ન કરો સતી દ્રૌપદીનું અપમાન ! જાણો, મહાભારતના યુદ્ધ માટે વાસ્તવમાં કોણ હતું જવાબદાર ?

આ પણ વાંચો : Shiv Puja: આ રીતે કરો શિવજીની પૂજા, પાંચ પ્રકારના આશિષની થશે પ્રાપ્તિ

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">