AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premanand Maharaj : શું મૃત્યુ પછી પરિવારના સભ્યો સાથેના સંબંધો તૂટી જાય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ગહન સત્ય

જીવન અને મૃત્યુને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને મૃત્યુ પછી પરિવાર અને સંબંધોનું શું થાય છે તે અંગે જિજ્ઞાસા રહે છે. એક મહિલાના પ્રશ્ન પર પ્રેમાનંદ મહારાજે સ્પષ્ટ અને સરળ શબ્દોમાં જવાબ આપ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

Premanand Maharaj : શું મૃત્યુ પછી પરિવારના સભ્યો સાથેના સંબંધો તૂટી જાય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ગહન સત્ય
| Updated on: Dec 14, 2025 | 2:03 PM
Share

જીવન અને મૃત્યુ બંને માનવ અસ્તિત્વના ગહન સત્ય છે. જીવન દરમિયાન વ્યક્તિ અનેક સંબંધોમાં બંધાય છે, પરંતુ મૃત્યુ પછી આ સંબંધોનું શું થાય છે – આ પ્રશ્ન ઘણા લોકોને વિચારમાં મૂકે છે. શું આત્મા મૃત્યુ બાદ પોતાના પરિવાર, ઓળખ અને લાગણીઓને યાદ રાખે છે? આ વિષય પર તાજેતરમાં એક મહિલાએ આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજને પ્રશ્ન કર્યો હતો.

મહિલાએ પૂછ્યું હતું કે શું મૃત્યુ પછી પરિવાર સાથેના સંબંધો ટકી રહે છે કે સંપૂર્ણપણે તૂટી જાય છે. મહિલાને જવાબ આપતાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે મૃત્યુ સાથે તમામ સાંસારિક સંબંધો સમાપ્ત થઈ જાય છે. તેમના જણાવ્યા મુજબ, મૃત્યુ ગાઢ નિંદ્રા કરતાં પણ વધુ ઊંડી અવસ્થા છે, જેમાં કોઈ યાદ, ઓળખ કે લાગણી રહેતી નથી.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે જેમ ગાઢ નિંદ્રામાં વ્યક્તિને કંઈ યાદ રહેતું નથી, તેમ મૃત્યુ પછી પણ કોઈ સંસ્મરણ રહેતું નથી. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે બાળક નવ મહિના માતાના ગર્ભમાં રહે છે, પરંતુ જન્મ પછી તેને તે સમયની કોઈ યાદ રહેતી નથી. એ જ રીતે, મૃત્યુ પછી આત્મા પોતાના પૂર્વ જીવનના સંબંધોને યાદ રાખતો નથી.

મહારાજના જણાવ્યા અનુસાર, મૃત્યુ સાથે પરિવાર, પત્ની, સંતાન, મિલકત, બેંક બેલેન્સ, પદ અને પ્રતિષ્ઠા-બધું અહીં જ રહી જાય છે. આત્મા સાથે માત્ર તેના કર્મોના પરિણામો જ આગળની યાત્રામાં જોડાય છે. સંબંધો શરીર અને સંજોગો પર આધારિત હોય છે અને શરીરનો અંત આવતાં જ આ બંધનો પણ તૂટી જાય છે.

પ્રેમાનંદ મહારાજે અંતમાં જણાવ્યું કે સંબંધો આ દુનિયામાં જન્મ પછી શરૂ થાય છે અને મૃત્યુ સાથે તેમનો અંત આવે છે. આત્માની યાત્રામાં કર્મ જ સત્ય છે, બાકી બધું ક્ષણિક છે.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">