માતા દુર્ગાની પૂજા દરમિયાન ભૂલથી પણ ના ચડાવો આ ફૂલ, દેવી ભગવતી તમારાથી થઇ શકે છે નારાજ

પૂજા સમયે ફૂલોનું પણ વિશેષ મહત્વ હોય છે. દરેક દેવતાને એક ખાસ પ્રકારનું ફૂલ ગમે છે. તેથી, માતા દેવીની (Goddess Durga) પૂજા કરતી વખતે પણ તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે માતાને કયા ફૂલો સૌથી વધુ પસંદ છે.

માતા દુર્ગાની પૂજા દરમિયાન ભૂલથી પણ ના ચડાવો આ ફૂલ, દેવી ભગવતી તમારાથી થઇ શકે છે નારાજ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:05 AM

વાસ્તુશાસ્ત્રનું (Vastu Shastra) આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. જીવન સાથે જોડાયેલી દરેક સારી અને ખરાબ બાબતોનો વાસ્તુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુમાં દરેક વસ્તુને યોગ્ય રીતે કરવા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુવિજ્ઞાનમાં (Architectural science)  જીવનને લઈને પૂજા-પાઠને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વાસ્તુશાસ્ત્રમાં પૂજા-પાઠને લઈને વાસ્તુમાં ઘણા નિયમ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે માતા ભગવતીને (Maa Durga) કયું ફૂલ ચઢાવવું જોઈએ અને કયું ફૂલ ના ચડાવવું જોઈએ.

દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો ભાવપૂર્વક પૂજા કરે છે. માતાના આશીર્વાદ મેળવવા માટે ભક્તો હંમેશા વિશેષ પ્રાર્થના કરે છે. જો તમે દેવી ભગવતીને પ્રસન્ન કરવા માંગો છો તો તેમની પૂજામાં ક્યારેય પણ અપ્રિય ફૂલ ન ચઢાવો. હા.દુર્ગા માની પૂજા માટે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પૂજા માટે સૌથી મહત્વની વસ્તુ છે ફૂલ, જેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

માતા રાણીને કયા ફૂલ ન ચઢાવવા જોઈએ ભક્તો હંમેશા માતા રાણીના નવ સ્વરૂપોને અલગ-અલગ ફૂલ ચઢાવે છે, જેથી તેમને માતાના આશીર્વાદ મળે. તે જ સમયે, આવા ઘણા ફૂલો છે, જેના પર માતા રાણીને ચઢાવવામાં આવે તો તે ગુસ્સે થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ કે તમામ દેવી-દેવતાઓને મનપસંદ ફૂલ હોય છે. જે ચઢાવવું ખૂબ જ શુભ હોય છે. ફૂલોનું મિશ્ર સ્વરૂપ, સુગંધ અને રંગ અને તેનો સીધો સંબંધ ઘરના વાસ્તુશાસ્ત્ર સાથે છે.

તેને ધ્યાનમાં રાખીને ભારતીય ઋષિમુનિઓએ તંત્રસાર, મંત્ર મહોદધિ અને લઘુ હરિતમાં કહ્યું છે કે શ્રી વિષ્ણુને સફેદ અને પીળા ફૂલ પ્રિય છે. સૂર્ય, ગણેશ અને ભૈરવને લાલ ફૂલો ગમે છે, જ્યારે ભગવાન શંકરને સફેદ ફૂલો ગમે છે. પણ ખાસ વાત એ છે કે ક્યુ ફૂલ, કયો રંગ કે ગંધ અનુકૂળ નથી.

ભગવાન વિષ્ણુને અક્ષત એટલે કે ચોખા તેમજ મદાર અને ધતુરાના ફૂલ ન ચઢાવવા જોઈએ. તે જ સમયે, દેવી દુર્ગાને દૂબ, મદાર, હરસિંગર, બેલ અને ટગર ન ચડાવવું જોઈએ. ચંપા અને કમલ સિવાય કોઈ ફૂલની કળી ન ચઢાવવી જોઈએ.

અશુદ્ધ સ્થાને ઉગેલાં ફૂલો, પાંખડીઓ પથરાયેલી હોય એવાં ફૂલ, વધારે સુગંધવાળાં ફૂલ, સુંઘેલા ફૂલ, જમીન પર પડ્યાં હોય એવાં ફૂલ- ભૂલથી પણ દેવી માતાને આવાં ફૂલ ચઢાવવાં નહીં, નહીં તો દેવી માતા ગુસ્સે થઈ શકે છે. ઘણી વાર એવું બને છે કે આપણે માતા રાણીને કોઈપણ પ્રકારનું ફૂલ કે કળી ચઢાવીએ છીએ તો આવું ક્યારેય ન કરવું જોઈએ. આ કારણે માતા રાણી પણ ગુસ્સે થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી માતાજીને માત્ર લાલ ફૂલ જ અર્પણ કરવા જોઈએ.

નોંધ- અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અત્રે રજુ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : 83 film : રણવીર સિંહની ફિલ્મ 83ની મુશ્કેલી વધી, UAEની કંપનીએ નિર્માતાઓ પર છેતરપિંડીનો લગાવ્યો આરોપ

આ પણ વાંચો : કોરોનાના બૂસ્ટર ડોઝ પર આજે મળશે એક્સપર્ટ કમિટીની બેઠક, લેવામાં આવી શકે છે મહત્વના નિર્ણય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">