AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2026: રક્ષાબંધનના પર્વ પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સમય અને ભારતમાં તેની અસર

28 ઓગસ્ટના રોજ થનારું ગ્રહણ આંશિક ચંદ્રગ્રહણ છે. ભારતીય માનક સમય (IST) મુજબ, 28 ઓગસ્ટના રોજ સવારે ૬:૫૫ વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થશે. વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણનો સમયગાળો 5 કલાક અને 38 મિનિટનો રહેશે.

Chandra Grahan 2026: રક્ષાબંધનના પર્વ પર વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સમય અને ભારતમાં તેની અસર
| Updated on: Aug 27, 2026 | 9:15 AM
Share

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટ, 2026ના રોજ થવાનું છે. આ ચંદ્રગ્રહણ આંશિક સ્વરૂપનું રહેશે અને ભારતીય માનક સમય મુજબ સવારે 6:55 વાગ્યે તેની શરૂઆત થશે. ગ્રહણનો કુલ સમયગાળો આશરે 5 કલાક અને 38 મિનિટનો રહેશે.

સવારે 8:04 વાગ્યે આંશિક ગ્રહણ

ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીનો પડછાયો ચંદ્રના એક ભાગ પર પડશે. આંશિક ચંદ્રગ્રહણ સવારે 8:04 વાગ્યે શરૂ થશે, જ્યારે ગ્રહણનો મહત્તમ તબક્કો સવારે 9:43 વાગ્યે રહેશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે ગ્રહણ પૂર્ણ થશે.

ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ

આ ચંદ્રગ્રહણની ખાસ વાત એ છે કે તે ભારતમાં દેખાશે નહીં. પશ્ચિમ એશિયાના કેટલાક ભાગો ઉપરાંત યુરોપ, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અનેક વિસ્તારોમાં ગ્રહણ જોવા મળી શકે છે. ભારતમાં ગ્રહણ દૃશ્યમાન ન હોવાથી અહીં સૂતક કાળ લાગુ નહીં પડે તેવી ધાર્મિક માન્યતા છે.

પૂર્ણિમા વ્રતની તારીખ પર ધ્યાન

ચંદ્રગ્રહણને કારણે શ્રાવણ પૂર્ણિમાના વ્રતની તારીખ અંગે પણ ચર્ચા થઈ રહી છે. કેટલાક પંચાંગ મુજબ 27 ઓગસ્ટે પૂર્ણિમાનું વ્રત રાખવાની સલાહ આપવામાં આવી છે. જોકે, સ્થાનિક પંચાંગ અને ગણતરી પ્રમાણે સમય તથા તારીખમાં ફેરફાર થઈ શકે છે, તેથી વ્રત રાખનારાઓએ પોતાના સ્થાનિક પંચાંગનો સંદર્ભ લેવો યોગ્ય રહેશે.

ગ્રહણ દરમિયાન ધાર્મિક પ્રવૃત્તિઓ

જ્યાં ચંદ્રગ્રહણ દેખાશે ત્યાં ધાર્મિક માન્યતા મુજબ લોકો મંત્રોચ્ચાર, ધ્યાન અને ધાર્મિક ગ્રંથોના પાઠ કરે છે. મહામૃત્યુંજય મંત્ર, હનુમાન ચાલીસા, સુંદરકાંડ અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવાની પરંપરા પણ જોવા મળે છે. ગ્રહણ દરમિયાન ધાર્મિક વિધિઓ કરવી કે નહીં તે વ્યક્તિની શ્રદ્ધા અને માન્યતા પર આધારિત છે.

ગ્રહણ બાદ સ્નાન કરવાની પરંપરા

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી ઘર અને પૂજા સ્થળની સફાઈ કરવાની પરંપરા છે. કેટલાક લોકો ઘર તથા મંદિરમાં ગંગાજળનો છંટકાવ કરીને ત્યારબાદ પૂજા-પ્રાર્થના કરે છે. ખોરાક અને પાણીમાં ગ્રહણ પહેલાં તુલસીના પાન મૂકવાની પણ પરંપરાગત માન્યતા છે.

રક્ષાબંધન પર નહીં પડે ખાસ અસર

28 ઓગસ્ટે રક્ષાબંધન પણ ઉજવાશે અને એ જ દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. જોકે, ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિક માન્યતા મુજબ સૂતક કાળ લાગુ નહીં પડે. તેથી રક્ષાબંધનની ઉજવણીમાં ગ્રહણને કારણે કોઈ ખાસ અડચણ નહીં આવે અને બહેનો શુભ સમય તથા પોતાની અનુકૂળતા મુજબ ભાઈને રાખડી બાંધી શકશે.

આ પણ વાંચો- રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે આ 3 વસ્તુઓનું દાન કરો, ભાઈના આયુષ્યમાં થશે વધારો અને ટળશે મોટા સંકટો ?

Follow Us
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે, કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ વધશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">