Astro Remedies: અત્યંત લાભકારી છે ફટકડી સબંધિત આ ઉપાય, જાણો કેવી રીતે અપનાવશો

ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ દ્વારા વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. અમે તમને ફટકડી (Alum) થી સંબંધિત ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

Astro Remedies: અત્યંત લાભકારી છે ફટકડી સબંધિત આ ઉપાય, જાણો કેવી રીતે અપનાવશો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:22 PM

Astro Remedies: આપણે બધા સુખી અને સ્થિર જીવન ઈચ્છીએ છીએ અને આ માટે સખત મહેનત કરીએ છીએ. કેટલીકવાર, સખત મહેનત અને સમર્પણ હોવા છતાં, લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને તેમાંથી એક છે વાસ્તુ દોષ (Vastu Dosh). જેના કારણે કરિયર પર પણ ખરાબ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર જ્યોતિષ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ દ્વારા વાસ્તુ દોષ દૂર કરી શકાય છે. અમે તમને ફટકડી (Alum) થી સંબંધિત ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે ફટકડી થી સંબંધિત ઉપાયો કરવાથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને પૈસાના સ્ત્રોત પણ વધે છે. આવો અમે તમને જણાવીએ કે ફટકડી (Alum) નો ઉપયોગ કરીને વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરી શકાય છે.

ઘરમાં અહી રાખો ફટકડી જો તમે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો ઘર અથવા કાર્યસ્થળના વાસ્તુ દોષોને દૂર કરવા જરૂરી છે. આ માટે 50 ગ્રામ ફટકડી ઘરના કોઈપણ ખૂણામાં અથવા કાર્યસ્થળ પર રાખો. ધ્યાનમાં રાખો કે આ કોઈએ જોવું જોઈએ નહીં. વાસ્તુ અનુસાર તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તમારી આસપાસ સકારાત્મકતા આવશે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

પોતું કરવું જો આવક પર ખરાબ અસર પડી રહી છે, તો તેના માટે ઘરમાં ફટકડીના પોતા કરવાનું શરૂ કરો. અઠવાડિયામાં 2 દિવસ આવું કરવાથી આવકમાં સુધારો થશે, સાથે જ દેવાથી મુક્તિ મેળવવામાં પણ મદદ મળશે.

દરવાજા પર ફટકડી લટકાવી જો આર્થિક અને શારીરિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે, તો ઘરના મુખ્ય દ્વાર પર ફટકડીને કપડામાં લટકાવી દેવી શ્રેષ્ઠ રહેશે. ધ્યાન રાખો કે આ માટે તમારે ફટકડીને કાળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવી પડશે. વાસ્તુ અનુસાર આવું કરવાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહેશે.

બાળકો માટે જો તમારું બાળક વારંવાર ડરામણા સપનાઓથી ત્રાસી રહ્યું હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે ફટકડીની મદદ પણ લઈ શકાય છે. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. મંગળવાર કે શનિવારે 50 ગ્રામ ફટકડી લો અને સૂતી વખતે તેને બાળકના માથા નીચે રાખો. જો વાસ્તુનું માનીએ તો આનાથી ડરામણા સપના નહીં આવે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Shankh Puja: દક્ષિણાવર્તી શંખ પ્રાપ્ત કરાવશે દેવી લક્ષ્મીની અપાર કૃપા! જાણો શંખ પૂજાના વિવિધ લાભ

આ પણ વાંચો: શું તમે જાણો છો સિંદૂરના આ ફાયદા? ભયનો નાશ કરી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે સિંદૂર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">