જો ATM માં રોકડ નહીં હોય તો બેંકને દંડ થશે, 1 ઓક્ટોબરથી RBI નો નવો નિયમ લાગુ થશે

RBI અનુસાર જો મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે ATM માં રોકડ ન હોય તો તે કિસ્સામાં 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં બેંકો પર દંડ લાદવામાં આવશે.

જો ATM માં રોકડ નહીં હોય તો બેંકને દંડ થશે, 1 ઓક્ટોબરથી RBI નો નવો નિયમ લાગુ થશે
ATM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:54 AM

ઘણી વખત ATMમાં ​​રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો ATMમાં ​​રોકડ ના મળે તો બેંકને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે 1 ઓક્ટોબર 2021 થી RBI બેંકો પર દંડ વસૂલવાનું શરૂ કરશે જો તેમના ATM એક મહિનામાં કુલ 10 કલાકથી વધુ સમય સુધી ખાલી રહે છે. આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે એટીએમમાં ​​નિયત સમયમાં રોકડ ન ભરવા બદલ બેંકને દંડ ફટકારવામાં આવશે. આરબીઆઈએ આ પગલું એટલા માટે લીધું છે કે જેથી એટીએમ દ્વારા જનતા માટે પૂરતી રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. RBI એ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.

બેંકને કેટલો દંડ થશે? RBI અનુસાર જો મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે ATM માં રોકડ ન હોય તો તે કિસ્સામાં 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં બેંકો પર દંડ લાદવામાં આવશે. જો બેંક એટીએમમાં ​​રોકડ નાખવા માટે કોઈપણ કંપનીઓની સેવાઓ લઈ રહી છે તો તેણેપણ બેંકને જ દંડ ચૂકવવો પડશે. બાદમાં બેંક તે વ્હાઇટ લેબલ એટીએમ કંપની પાસેથી દંડ વસૂલી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રિઝર્વ બેંકને નોટો જારી કરવાની જવાબદારી આપવામાં આવી છે. તે જ રીતે બેંકો તેમની શાખાઓ અને એટીએમના વિશાળ નેટવર્ક દ્વારા લોકોને નાણાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ઉઠાવે છે. “એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કો/વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો એટીએમમાં રોકડની ઉપલબ્ધતા અંગે તેમની સિસ્ટમને મજબૂત બનાવશે અને ખાતરી કરશે કે મશીનોમાં રોકડ સમયસર જમા થાય છે જેથી લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.” .

વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં સંબંધિત એટીએમ પર રોકડ ઉપલબ્ધ કરાવતી બેંક પર દંડ વસૂલવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમ બિન-બેંક સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. બેંક વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર પાસેથી દંડની રકમ વસૂલ કરી શકે છે. જૂન 2021 ના અંતમાં દેશભરની વિવિધ બેંકોમાં 2,13,766 એટીએમ છે.

આ પણ વાંચો :   આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો :   ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">