મમતા બેનર્જી

મમતા બેનર્જી

મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ દેશના રાજકારણી છે. જે 20 મે 2011 થી પશ્ચિમ બંગાળ રાજ્યના આઠમા અને હાલમાં મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે. પશ્ચિમ બંગાળમાં મહિલા તરીકે મુખ્યપ્રધાન બનનાર તેઓ પ્રથમ મહિલા છે. મમતા બેનર્જીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે પણ હતા. મમતા બેનર્જી 2011 માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બન્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી અલગ થયા પછી 1998 માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નામના રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. પશ્ચિમ બંગાળમાં લોકો મમતા બેનર્જીને દીદીના નામે સંબોધે છે. બંગાળી ભાષામાં મોટી બહેનને દીદી કહેવામાં આવે છે.

બેનર્જીએ અગાઉ બે વખત રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી. જે આવું કરનાર પ્રથમ મહિલા છે. તે ભારત સરકારની કેબિનેટમાં કોલસાની બીજી મહિલા મંત્રી અને માનવ સંસાધન વિકાસ, યુવા બાબતો અને રમતગમત, મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ છે. સિંગુર ખાતે ખેડુતો અને ખેડૂતોના ખર્ચે સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીની આગેવાની હેઠળની સરકારની ઔદ્યોગિકીકરણ માટે અગાઉની જમીન સંપાદન નીતિઓનો વિરોધ કર્યા બાદ તેણી પ્રસિદ્ધિ પામી હતી. મમતા બેનર્જીએ, વિશ્વની સૌથી લાંબા સમય સુધી લોકશાહી ઢબે ચૂંટાયેલી સામ્યવાદી આગેવાનીવાળી સરકારને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.

Read More

ચક્રવાતથી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે તબાહી, 5ના મોત, સેંકડો ઘાયલ, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં રવિવારે બપોરે એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. જેમાં જાનમાલનું ઘણું નુકસાન થયું હતું. રાજ્યના સીએમ મમતા બેનર્જી રવિવારે રાત્રે જ વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે અમે નુકસાનથી વાકેફ છીએ અને વહીવટીતંત્ર તમામ પ્રકારની મદદ માટે ઉભા છે.

100થી વધુ ઘાયલ, 4ના મોત…અનેક ઘરોને નુકશાન, બંગાળમાં વાવાઝોડાએ મચાવી તબાહી

રવિવારે જલપાઈગુડીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો હતો. ઈલેક્ટ્રીક પોલ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જલપાઈગુડી એસપીએ વાવાઝોડાને કારણે ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અકસ્માતનો શિકાર, માથામાં પહોંચી ઈજા, હોસ્પિટલમાં દાખલ

ટીએમસી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ફોટામાં મમતા બેનર્જી હોસ્પિટલમાં દાખલ છે અને તેમના કપાળમાંથી લોહી નીકળી રહ્યું છે. અત્યાર સુધીની માહિતી મુજબ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બનર્જીને SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

CAA પર દુષ્પ્રચાર કરતા વિપક્ષને અમિત શાહે આડે હાથે લીધી, કહ્યું – કેજરીવાલ વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે

ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષની સરકારને આડે હાથે લીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે નાગરિકતા સંશોધન કાયદા એટલે કે CAAને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે CAA દેશમાં ચોરી, લૂંટ અને બળાત્કાર વધારશે. કેજરીવાલના આ નિવેદન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો છે.

દેશભરમાં લાગુ થયુ CAA, મોદી સરકારે જારી કર્યુ નોટિફિકેશન, ત્રણ દેશોના બિન મુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિક્તા

CAA અંતર્ગત મુસ્લિમ સમુદાયને બાદ કરતા ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે.

મમતા દીદીની મોદી સરકારને ગેરંટી, જ્યાં સુધી સરકારમાં છીએ ત્યાં સુધી પશ્ચિમ બંગાળમાં NRC લાગુ નહીં થવા દઈએ

કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું, 'હું ન્યાયતંત્રનું સન્માન કરું છું, પરંતુ કેટલાક ન્યાયાધીશો ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે.' તો તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, કોલકત્તાના બ્રિગેડ ગ્રાઉન્ડની આ 'જન ગર્જન સભા' દ્વારા વિરોધીઓનુ વિસર્જન છે.

TMCએ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો પર ઉતાર્યા ઉમેદવારો, મહુઆ મોઇત્રા કૃષ્ણનગરથી લડશે ચૂંટણી, જુઓ સંપૂર્ણ યાદી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યની તમામ 42 બેઠકો માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી છે. તે જ સમયે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રાને ટિકિટ આપી છે. ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર બેઠક પરથી ટિકિટ મળી છે અને તેનો મુકાબલો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી સાથે થશે

મમતાએ પીએમ મોદી સાથે કરી બેઠક, જાણો મુલાકાત પર શું બોલ્યા મમતા

પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. લોકસભા ચૂંટણી પહેલા પીએમ સાથે સીએમ મમતાની બેઠક ઘણી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. જો કે મમતાએ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવતા કહ્યુ કે તેમની વચ્ચે રાજનીતિની વાતો બહુ ઓછી થઈ અને ઇત્તર વાતો વધુ થઈ હતી.

સંદેશખાલી કેસમાં કોલકત્તા હાઈકોર્ટનો આદેશ, શેખ શાહજહાં કરે સરેન્ડર, મમતા સરકારને પણ ફટકાર

સંદેશખાલી કેસમાં કોલકાતા હાઈકોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી છે. હજુ સુધી તેની ધરપકડ કેમ કરવામાં આવી નથી તેમ પૂછ્યું હતું. આ ઉપરાંત, હાઈકોર્ટે ટીએમસી નેતા શાહજહાં શેખ, જે સંદેશખાલી હિંસાના માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે, તેને આત્મસમર્પણ કરવા કહ્યું છે.

NRC મુદ્દે કેન્દ્ર અને મમતા બેનર્જી વચ્ચે આરપાર ! કહ્યું હું બંગાળમાં NRC લાગુ નહી થવા દઉં, આધારકાર્ડનો નવો વિકલ્પ લાવીશ

મમતા બેનર્જીએ કહ્યું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળમાં આટલા બધા આધાર કાર્ડને કેમ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માતુઆ સમુદાય સાથે આવું થઈ રહ્યું છે. હજારો નામો હટાવી રહ્યા છે, આ લોકોનું શું પ્લાનિંગ છે? શું તેઓ અહીં ડિટેન્શન કેમ્પ બનાવવા માગે છે?

Breaking News: અદાણી ગ્રુપને ફટકો, અદાણી વિલમર પર મમતા સરકારે લગાવી પેનલ્ટી, જાણો હવે શું કરશે કંપની

તમને જણાવી દઈએ કે ટેક્સ વિભાગે આ પેનલ્ટી કંપનીને 15 ફેબ્રુઆરી 2024એ ફટકારી છે. ત્યારે કંપનીએ આ વિશે વાત કરતા કહ્યું છે કે તે વિભાગને જવાબ આપતા પહેલા પોતાની રીતે તપાસ કરશે અને ત્યારબાદ ઓથોરિટીને પોતાનો જવાબ રજૂ કરશે.

વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
g clip-path="url(#clip0_868_265)">