વડોદરાના હરણી દુર્ઘટના કાંડમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, વિનોદ રાવ અને એચ.એસ. પટેલને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. 2 મનપા કમિશનરને હાઈકોર્ટે જવાબદાર ઠેરવ્યા છે. હાઈકોર્ટે 15 પાનાનો હુંકમ પણ કર્યો છે. કવોલીફીકેશન ન હતી તેમ છતાંય કામ સોંપવામાં આવ્યા હોવાનું કોર્ટે નોંધ્યું છે. બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા હાઇકોર્ટનો હુકમ કર્યો છે.
વડોદરામાં 18મી જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાઓ મળીને 14ના મોત થયા હતા. હરણી તળાવામાં બોટ ચલાવવા ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મનપાએ કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલો છે. લાયકાત વગરનો બોટ ચાલક અને અપુરતા બચાવવાના સાધનોના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. 12 માસુમો અને 2 શિક્ષિકાઓની જળસમાધીની અત્યંત કરૃણ દુર્ઘટના બની હતી. કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો, બોટ ચાલક અને મેનેજર સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના 47 ખેડૂતોએ કલેક્ટર સમક્ષ કરી ઈચ્છા મૃત્યુના માગ- જુઓ Video
Published On - 8:56 pm, Tue, 9 July 24