AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે. આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને […]

1 એપ્રિલથી બેંક નહિં વસૂલી શકે હોમલોન, પર્સનલ લોન પર જરૂરીયાતથી વધારે વ્યાજ, RBIએ આપ્યા ખાસ આદેશ
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 07, 2019 | 2:29 PM
Share

 હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોનથી જોડાયેલ એક નિયમમાં રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ એક ફેરફાર કર્યો છે.

આ ફેરફાર પછી 1 એપ્રિલ 2019થી આ વસ્તુઓ માટે બૅંકથી લોનના વ્યાજદરનો નિયમ પણ બદલાઈ જશે. અત્યારે તો બૅંક જાતે જ નકકી કરે છે કે વ્યાજદર કયારે વધારવો કે ઘટાડવો. પણ આર.બી.આઈ તરફથી રેપોરેટ ઘટાડયા પછી 1 એપ્રિલથી બૅંકોને પણ તેમના ગ્રાહકો માટે લોનનો વ્યાજદર ઘટાડવો પડશે. તેનાથી વ્યાજદરોમાં વધારે પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો EMI ઓછો થશે. આ નિયમ નાના વેપારીઓને અપાતી લોન માટે પણ લાગૂ પડશે.

RBIએ રેપોરેટમાં 0.25 પોઈન્ટનો ઘડાટો કર્યો છે. હવે રેપોરેટ 6.50થી ઘટાડી 6.25% થઈ ગયો છે. આ ઘટાડાથી રીવર્સ રેપોરેટ 6%એ આવી ગયો છે. તેની અસર હોમલોન, ઓટોલોન, અને પર્સનલ લોન પર પડી શકે છે. બૅંક આ લોનોના વ્યાજદરોમાં ઘડાટો કરી શકે છે.

રેપોરેટ વધવાથી બૅંક લોનના વ્યાજ દર ઝડપથી વધારી દે છે, પણ રેપોરેટ ઘટવા પર બૅંક તાત્કાલિક વ્યાજદર ઘટાડતી નથી. તેથી જ પૂર્વ આર.બી.આઈ ગર્વનર રઘુરામ રાજનએ દર મહીને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડસ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR)નકકી કરવાની વ્યવસ્થા લાગૂ કરી હતી. ત્યારબાદ પૂર્વ આર.બી.આઈ ગર્વનર ઉર્જિત પટેલે પણ કહ્યું હતું કે બૅંક ગ્રાહકોને પૂરો ફાયદો નથી આપતી.

નવા નિયમથી રેપોરેટના આધારે વ્યાજદર પણ બદલાઈ જશે. રેપોરેટ ઘટવાથી બૅંકોને પણ વ્યાજદર ઘટાડવો પડશે. જો તે સરકારી બોન્ડના આધાર પર વ્યાજદર નકકી કરે છે તો પણ ગ્રાહકોને તાત્કાલીક ફાયદો આપવો પડશે, કારણ કે રેપોરેટ બદલવાથી બોન્ડ માર્કેટ પર તરત અસર થાય છે. આ બદલાવથી લોન લેવાવાળા ગ્રાહકોની EMI દર સસ્તી થઈ જવાની પૂરી સંભાવના છે.

[yop_poll id=1182]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">