AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?

કેદારનાથ ધામમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન શિવના દર્શન માટે પહોંચી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવુ છે કે પાણીની 20 રૂપિયાવાળી બોટલ કેદારનાથ ધામમાં 80 રૂપિયાની મળે છે.

Kedarnath Yatra: કેદારનાથ ધામમાં 20 રૂપિયાની પાણીની બોટલ 400 ટકા મોંઘી કેમ મળી રહી છે?
| Updated on: Apr 24, 2026 | 4:17 PM
Share

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શરૂ થઈ ચુકી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામના કપાટ ખૂલતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે પહોંચી રહ્યા છે. ભાવિકોની સૌથી વધુ ભીડ કેદારનાથધામમાં દેખાઈ રહી છે. દર્શન માટે પહોંચેલા ભક્તોને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અને અસુવિધાથી બચાવવા માટે ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવ્યુ છે. આ વચ્ચે એક ચર્ચા એવી સામે આવી રહી છે કે કેદારનાથધામમાં પાણીની બોટલ 80 રૂપિયામાં મળે છે. જ્યારે તેની વાસ્તવિક કિંમત 20 રુપિયા છે. આની પાછળ મજબુરીનો લાભ લેવાની વૃતિ છે કે બીજુ કોઈ કારણ છે આવો જાણીએ.

કેદારનાથમાં દુકાન ચલાવનારા એક દુકાનદારે નામ ન આપવાની શરતે જણાવ્યુ કે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવા પાછળ તેમની મજબુરી છે. પાણીની બોટલને કેદારનાથ સુધી લાવવામાં જે ખર્ચ થાય છે, તેને તેની MRP સાથે જોડીને વેચવામાં આવે છે. તેમણે જણાવ્યુ કે ઋશિકેશથી ગૌરીકુંડ સુધી તો પાણીની પેટીઓ ટ્રકમાં આવે છે. પરંતુ ગૌરીકુંડ પછીનો રસ્તો વાહનો માટે નથી.

પાણીના ભાવ 20 થી 80 રૂપિયા હોવાનો હિસાબ

દુકાનદારે જણાવ્યુ કે ગૌરીકુંડ થી કેદારનાથ સુધીનું અંતર લગભગ 18 કિલોમીટર છે અને પાણીની પેટીઓ ખચ્ચર દ્વારા ધામ સુધી પહોંચે છે. એક ખચ્ચર પર પાણીન વધુમાં વધુ ચાર પેટીઓ લાદી શકાય છે. પાણીની પેટીઓની કિંમત સહિત ખચ્ચરનું ભાડુ 3500 રૂપિયા છે. જો હિસાબ લગાવવામાં આવે તો એક પેટીમાં 12 બોટલ હોય છે એટલે 4 પેટીમાં 48 બોટલ અને કેદારનાથ પહોંચતા સુધીમાં એક બોટલ દુકાનદારને 72 થી 92 રૂપિયામાં પડે છે.

‘ઓછા ભાવે વેચશો તો ખોટ જશે’

દુકાનદારે જણાવ્યુ કે દુકાનનું ભાડુ પણ તેને આપવાનું હોય છે. એવામાં પોતાની બચત કાઢવા માટે તેણે પાણીની બોટલ 80 રૂપિયામાં વેચવી એ તેમની મજબુરી છે. કારણ કે તેનાથી ઓછા ભાવે તે વેચશે તો તેને ખોટ જશે. ખચ્ચર ઉપરાંત કેટલાક પિઠ્ઠુ પર પણ લાદીને પાણીની બોટલ કેદારના સુધી પહોંચાડે છે અને તેનું ભાડુ જોડ્યા બાદ કિંમત લગભગ સરખી જ થઈ જાય છે.

કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન

કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલ્યા હતા અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 6 માર્ચથી શરૂ થઈ ગઈ હતી. વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ભક્તોને બાબા કેદારનાથના સુગમ દર્શન કરાવવા માટે ઉત્તરાખંડ સરકાર તરફથી કેદારનાથમાં ટોકન વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. ટોકન પર નંબર હોય છે અને તેના આધારે જ ભક્તો લાઈનમાં રહીને દર્શન કરી શકે છે.

ભારતને નર્ક કહેવાની ટ્રમ્પની લવારીનો ઈરાને આપ્યો જવાબ, કહ્યુ “ક્યારેક ભારત આવીને જુએ પછી…..”

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">