અમદાવાદમાં કયા રસ્તા છે અકસ્માત માટે કુખ્યાત? પૂર્વ અને પશ્ચિમમાંથી પસાર થતા સાવધાન!

અમદાવાદ શહેરમાં અકસ્માતનો વધારો થઈ રહ્યો છે. જેને લઈ અમદાવાદ પોલીસે એક સર્વે કર્યો છે, અકસ્માત ઘટાડવા માટે થઈને આ પ્રયાસ કર્યો અને જેમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. વાહન ચાલકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારીને લઈ અકસ્માત સર્જાય છે. જેમાં ખાસ કરીને કેટલાક વિસ્તારો તારવવામાં આવ્યા છે, જ્યાં અકસ્માતો વધારે નોંધાઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2023 | 7:29 PM

અમદાવાદ શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ પણ યોજવામાં આવી છે, આમ છતાં વાહન ચાલકો પોતાની બેદરકારીને છોડી સલામત વાહન હંકારવા જાગૃતિ કેળવી રહ્યા નથી. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે અને ઈજાગ્રસ્ત થતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ સૌથી વધારે અકસ્માતનું કારણ બન્યુ છે. ઓવરસ્પીડ પણ મુખ્ય કારણ બન્યુ છે. વર્ષ 2022 માં 1793 લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 488 લોકો મોતને ભેટ્યા છે. જેમાં 720 લોકોને ગંભીર ઈજા અને 585 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ચાલુ વર્ષે નવેમ્બર માસ સુધીમાં 1693 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં 480 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 642 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

શહેરના વાડજ સર્કલ, સત્તાધાર સર્કલ, નરોડા પાટીયા રાજીવ ગાંધી ભવન, હાઈકોર્ટ સામેનો બ્રિજ, ઈસ્કોન બ્રિજ, વસ્ત્રાલ ચાર સહિતના 10 થી 12 સ્પોટ અકસ્માત માટે જોખમી સ્થળ તરીકે ઓળખવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ સૌરવ ગાંગુલીને ભૂતપ્રેત થયો અનુભવ, હોટલના રુમમાં અડધી રાતે એવું થયું કે દાદાના હોશ ઉડી ગયા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">