Ahmedabad માં સાબરમતી નદીના વોક-વે સુધી પહોંચી રહ્યા છે પાણી, જુઓ વિડીયો

અમદાવાદ શહેરના રિવર ફ્રન્ટ(Riverfront)  પર જોવા મળી રહી છે.સાબરમતી નદીમાં રિવરફ્રન્ટના પગથિયાં સુધી પાણી પહોંચ્યા. તેમજ એક વાગ્યા બાદ પાણીની આવક નદીમાં વર્તાવાની  શરુ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 5:31 PM

ગુજરાતમાં  (Gujarat)  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓ વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ પડી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા અને ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના પગલે બુધવારે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં(Sabarmati)  76, 000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત નર્મદા કેનાલમાંથી પણ 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેમજ ગાંધીનગર સંત સરોવરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની અસર હવે અમદાવાદ
શહેરના રિવર ફ્રન્ટ(Riverfront)  પર જોવા મળી રહી છે.સાબરમતી નદીમાં રિવરફ્રન્ટના પગથિયાં સુધી પાણી પહોંચ્યા. તેમજ
એક વાગ્યા બાદ પાણીની આવક નદીમાં વર્તાવાની  શરુ થઈ છે.

સંત સરોવરના 10 દરવાજા ખોલાયા

સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ 55.50 મીટર છે અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના ૨૧ દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા

સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી  પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે.  વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે..

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">