ગંદકી પારાવાર…પશુઓનો ત્રાસ…ટ્રાફિક જામ, વેરાવળની એકમાત્ર શાક માર્કેટ બની શોભાના ગાંઠિયા સમાન- Video

વેરાવળમાં આવેલી એકમાત્ર શાકમાર્કેટ હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. આ શાકમાર્કેટમાં વેપારીઓને બદલે હાલ તો રખડતા ઢોરે અડીંગો જમાવ્યો છે. જ્યારે શાકભાજી વિક્રેતાઓ બહાર ગલ્લા અને લારીઓન નાખી રોડ પર દબાણ કરી રહ્યા છે અને તંત્ર આ તમાશો જોઈ રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2024 | 6:27 PM

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરમાં આવેલી એકમાત્ર શાક માર્કેટ ફરી વિવાદમાં છે. ભૂતકાળમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી માર્કેટનું ઉદ્ઘાટન નથી થયું. જેના કારણે શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે. માર્કેટમાં એકલ દોકલ વેપારીઓ જ જોવા મળે છે, અને બાકી ગાય સહિતના પશુઓ રખડે છે. તો પારાવાર ગંદકી પણ છે. પરંતુ શાક માર્કેટની બહારના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં શાકભાજી વિક્રેતાઓ નજરે પડી રહ્યા છે. મતલબ કે જે વેપારીઓ માટે શાક માર્કેટ બનાવવામાં આવી છે તે વેપારીઓ જ માર્કેટની અંદર બેસવા તૈયાર નથી. બીજી તરફ બહાર રોડ પર શાકભાજીની લારી અને ગલ્લા ખડકી દેવાને કારણે મોટા પાયે ટ્રાફિક અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાય છે.

વેપારીઓ માર્કેટમાં બેસવા કેમ તૈયાર નથી તેના કારણો તમે જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશે. ક્યાંક સમાજના મુદ્દાનો વિવાદ છે, તો ક્યાંક શાકના થડાનો મામલો છે. કોઇ વળી એવું માને છે કે જે આગળ બેસે તેને જ વેપાર થાય. આવા વિવિધ કારણોસર શાક માર્કેટના મોટા ભાગના વેપારીઓ અંદર ધંધો કરવા તૈયાર નથી. પાલિકા તંત્ર દ્વારા વારંવાર વેપારીઓને માર્કેટની અંદર બેસવા માટે કહેવામાં આવે છે, પરંતુ વેપારીઓ અંદર જવા તૈયાર જ નથી. જેના કારણે મામલો વધુ ગુંચવાઇ ગયો છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">