Gir Somnath : વેરાવળ પંથકમાં વીજ કરંટ લાગતા 3 યુવકના કમકમાટી ભર્યા મોત, પરિવારમાં શોકનો માહોલ, જુઓ Video
ગીર સોમનાથના વેરાવળ પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત નિપજ્યા છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી.
ગીર સોમનાથના વેરાવળ પંથકમાં એક દુર્ઘટના સામે આવી છે. વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત નિપજ્યા છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર વરસાદના સમયે જનરેટર નજીક જતા વીજ કરંટ લાગ્યો હતો.
ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે 3 યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 3 યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રબારી સમાજના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોને પી.એમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે વેરાવળના સીડોકર ગામે વીજ કરંટથી 3 લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. રબારી સમાજના પુંજના તહેવારની ઉજવણી સમયે આ દુર્ઘટના બની હતી, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ધોરણે મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
