AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાયમી કરવાની માગ સાથે TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

કાયમી કરવાની માગ સાથે TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણિમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2024 | 4:38 PM
Share

આજે TET અને TAT વાળા શિક્ષકો અલગ અલગ વાહનમાં ગાંધીનગર સચિવાયલ પહોચ્યાં હતા. જ્યા તેઓ સ્વર્ણિમ સંકુલ -1 આગળ આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના બહાને બનર સાખે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલમાંથી પ્રદર્શનકારી શિક્ષકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી. 

TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી ભરતીની માગને લઇને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ -1 સચિવાલય પહોંચ્યા હતા. જ્યા તેમણે બેનર સાથે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે તમામની અટકાયત કરી છે. છેલ્લા બે દિવસથી, TET અને TAT વાળા શિક્ષકોએ કાયમી કરવાની રજૂઆત સાથે ગાંધીનગરમાં ધરણા-દેખાવો-પ્રદર્શન કરી રહ્યા છે.

આજે TET અને TAT વાળા શિક્ષકો અલગ અલગ વાહનમાં ગાંધીનગર સચિવાયલ પહોચ્યાં હતા. જ્યા તેઓ સ્વર્ણિમ સંકુલ -1 આગળ આવીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના બહાને બનર સાખે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્વર્ણિમ સંકુલમાંથી પ્રદર્શનકારી શિક્ષકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી હતી.

આ અગાઉ આજે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી હતી. દહેગામ પોલીસે અગમચેતીના ભાગરૂપે યુવરાજસિંહ જાડેજાની, તેમના ઘરેથી અટકાયત કરી હતી. યુવરાજસિંહ જાડેજાની સાથેસાથે અન્ય બે શખ્સોને પણ પોલીસ સ્ટેશને લવાયા હતા.

g clip-path="url(#clip0_868_265)">