Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વ્યારા ખાતે શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ આવ્યો સામે, રહેણાંક વિસ્તારમાં ચર્ચ ઊભું કરતાં વિરોધ

વ્યારા ખાતે શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ આવ્યો સામે, રહેણાંક વિસ્તારમાં ચર્ચ ઊભું કરતાં વિરોધ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 5:25 PM

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રદ્ધા રેસીડેન્સીમાં ધાર્મિક વિવાદ સામે આવ્યો છે. જેને લઇ વ્યારા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાલ મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. રહેણાંક વિસ્તારમાં ચર્ચ બનાવી પ્રાર્થના કરવામાં આવતા સ્થાનિકો વિરોધ કરવા પહોંચ્યા હતા જે બાદ આ સમગ્ર વાત સામે આવી હતી. 

તાપી જિલ્લાના વ્યારાના કોલેજ રોડ વિસ્તારમાં આવેલ શ્રદ્ધા રેસીડેન્સી નામની સોસાયટીમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન હિન્દુ સમુદાયના લોકો દ્વારા સ્થળ પર પહોંચી પ્રાર્થના અટકાવી હતી. જે બાદ પોલીસને પણ  બોલાવવામાં આવી હતી. હિન્દુ સમાજનો આક્ષેપ હતો કે રેસીડેન્સી વિસ્તારમાં ચર્ચ બનાવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : તાપી જિલ્લાની સૌથી મોટી વ્યારા એ.પી.એમ.સીમાં પ્રમુખ-ઉપપ્રમુખની કરાઈ વરણી

તેમનું કહેવું છે કે બહારના વિસ્તારના લોકો પ્રાર્થના સભામાં આવી રહ્યા છે. આ બાબતે અનેક વાર તેમના દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય નથી તેથી ચર્ચ એટલે કે પ્રાર્થના સ્થળ બંધ કરવામાં આવે.

બીજી તરફ ખ્રિસ્તી સમુદાયના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે નગર પાલિકા માંથી મંજૂરી લીધી છે અને પ્લોટમાં કાચું બાંધકામ કર્યું છે, અમારી પાસે કોઈ જગ્યા નથી એટલે અમે ચર્ચના નામે જગ્યા લઈ અહી પ્રાર્થના કરી રહ્યા છીએ. સમગ્ર મામલે હાલ પોલીસ વચ્ચે પડી ધાર્મિક વિવાદ નો અંત લાવવા માટે બંને પક્ષ ના આગેવાનો સાથે બેઠક કરી કાર્યવાહી કરવાની કાર્યવાહી આરંભી છે.

(ઈનપુટ ક્રેડિટ – નીરવ કંસારા)

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 12, 2023 05:22 PM
g clip-path="url(#clip0_868_265)">