AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : અમદાવાદ કુમકુમ મંદિરનો ફૂલદોલોત્સવ, સ્વામિનારાયણ સંપ્રદાયની 200 વર્ષ જૂની પરંપરા

કુમકુમ મંદિરે ભવ્ય ફૂલદોલોત્સવ ઉજવાયો, જ્યાં સ્વામિનારાયણ ભગવાનને ગુલાલ અને કેસૂડાના જળથી રંગવામાં આવ્યા. આ 200 વર્ષ જૂની પરંપરા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ મહત્વ ધરાવે છે.

Chirag Shah
| Edited By: | Updated on: Mar 14, 2025 | 6:47 PM
Share

કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુલાલ અને કેસૂડાંના જળથી સ્વામિનારાયણ ભગવાનને રંગવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ પવિત્ર ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

વિશિષ્ટ ઉજવણી

શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર – મણિનગર દ્વારા ધૂળેટી – ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા અને ગુલાલ તથા કેસૂડાંના જળથી રંગવામાં આવ્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમ

નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. બાદમાં સર્વે ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.

સંતોનું નિવેદન

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલદોલોત્સવ એક શિરમોર ઉત્સવ છે.  સ્વામિનારાયણ ભગવાન દ્વારા વિવિધ સ્થળોએ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.

ઇતિહાસ અને પરંપરા

ગઢડા, લોયા, બોટાદ, સરંગપુર અને વડતાલ જેવા સ્થળોએ ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણીની પરંપરા રહી છે. વડતાલમાં ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને તેમના બાર – બાર સ્વરૂપે ભક્તોને દર્શન કરાવ્યા હતા.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">