સુરત : રાંદેરમાં ડો.ઉદય પટેલે પોતાની હોસ્પિટલમાં આપઘાત કર્યો, જાતે જ હાથમાં ઇન્જેક્શન મારી જીવન ટૂંકાવ્યું, જુઓ વિડીયો
સુરતમાં જાણીતા તબીબે આપઘાત કાર્યનો મામલો પ્રકાશમાં આવ્યો છે.રાંદેર વિસ્તારમાં આવેલી પટેલ હોસ્પિટલના આ ઘટના બની છે હોસ્પિટલમાં એક જાણીતા ડોક્ટરે આત્મહત્યા કરી છે.તબીબે જાતે જ હાથમાં ઇન્જેક્શન મારી જીવન ટૂંકાવ્યું છે.
સુરતમાં જાણીતા તબીબે આપઘાત કાર્યનો મામલો પ્રકાશમાં આવ્યો છે.રાંદેર વિસ્તારમાં આવેલી પટેલ હોસ્પિટલના આ ઘટના બની છે હોસ્પિટલમાં એક જાણીતા ડોક્ટરે આત્મહત્યા કરી છે.તબીબે જાતે જ હાથમાં ઇન્જેક્શન મારી જીવન ટૂંકાવ્યું છે.આપઘાતની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ વધુ તપાસ હાથ ધરી છે.હજુપણ આપઘાતનું કારણ અકબંધ છે.
સૂત્રો અનુસાર અડાજણ વિસ્તારના પટેલનગર સોસાયટીમાં રહેતા ડો.ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.54 ) એ આત્મહત્યા કરી હતી. જાણીતા તબીબે રાંદેરના તાડવાડી વિસ્તરામાં આવેલ પોતાની પટેલ હોસ્પિટલમાં પોતાના હાથમાં વેઈન ફ્લો નાખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. ડો. ઉદય હોસ્પિટલ સ્ટાફને બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેમને મૃત ઘોષિત કરાયા હતા.
