AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ વીડિયો : RMCના જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ, આંગણવાડીમાં 700 જેટલા બાળકો કુપોષિત

રાજકોટ વીડિયો : RMCના જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ, આંગણવાડીમાં 700 જેટલા બાળકો કુપોષિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 9:51 AM
Share

રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં ભાજપના જ કોર્પોરેટરોએ, શાસન સામે સવાલો કર્યા હતા. આંગણવાડીની ખરાબ સ્થિતિને લઈને ભાજપ કોર્પોરેટરોએ પણ અનેક સવાલ કર્યા હતા. જેમાં આંગણવાડીમાં સાફ સફાઈ અને પીવાનું સ્વચ્છ પાણી ન મળવાને લઇને ચર્ચા થઈ હતી. જેમાં હાલ રાજકોટની આંગણવાડીમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે.

આમ તો મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા સવાલ ઉઠવાતા હોય છે.પરંતુ રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં ભાજપના જ કોર્પોરેટરોએ સવાલો કર્યા હતા. આંગણવાડીની ખરાબ સ્થિતિને લઈને ભાજપ કોર્પોરેટરોએ પણ અનેક સવાલ કર્યા હતા.જેમાં આંગણવાડીમાં સાફ સફાઈ અને પીવાનું સ્વચ્છ પાણી ન મળવાને લઇને ચર્ચા થઈ હતી. જેમાં હાલ રાજકોટની આંગણવાડીમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આંગણવાડીની સ્થિતિ સુધરશે તેવો દાવો કર્યો હતો. તો તમામ 19 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

તો બીજી તરફ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીનો આક્ષેપ છે કે તેમને પ્રશ્ન પૂછવા માટે સમય આપવામાં ન આવ્યો.આંગણવાડીના એક પ્રશ્નમાં જ બોર્ડની મીટિંગ પુરી કરી દેવાઈ.તો શાસક પક્ષ પાસે આંગણવાડીના પ્રશ્નને લઈને કોઈ જવાબ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">