Rajkot: RMC ફૂડ શાખાએ એક્સપાઇરી ડેટવાળો ખાદ્યતેલનો જથ્થો પકડ્યો, ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરાઈ કાર્યવાહી
RMC ફૂડ શાખાએ એક્સપાઇરી ડેટવાળો ખાદ્યતેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મિલપરા મેઈન રોડ પર આવેલી પરેશ પ્રોવિઝન સ્ટોરમાંથી જથ્થો પકડાયો હતો.
Rajkot: RMC ફૂડ શાખાએ એક્સપાઇરી ડેટવાળો ખાદ્યતેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મિલપરા મેઈન રોડ પર આવેલી પરેશ પ્રોવિઝન સ્ટોરમાંથી જથ્થો પકડાયો હતો. તંત્રએ 152 નંગ બોટલ સીઝ કરી ખાધતેલના નમૂના લીધા હતા. ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત કરાઇ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આનંદસાગર સ્વામીની વિવાદિત ટિપ્પણી મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન
આનંદસાગર સ્વામીએ શિવ ભગવાનનું અપમાન થાય તેવુ નિવેદન આપતો એક વીડિયો વાયરલ થયો હતો. આ નિવેદનના કારણે ખૂબ જ વિવાદ સર્જાયો છે. સોમવારથી આ વીડિયો વાયરલ થયા બાદ આનંદસાગર સ્વામી વિરુદ્ધ કાર્યવાહી થાય તેવા સંકેતો મળી રહ્યા હતા. ત્યારે હવે રાજકોટ બ્રહ્મસમાજ દ્વારા આનંદસાગર સ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટના બ્રહ્મસમાજ દ્વારા આનંદ સ્વામીનો વિરોધ પણ કરવામાં આવ્યો છે.
Latest Videos
Latest News