AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ધોરાજીમાં પાણી છોડતાં પહેલાં કેનાલની તાત્કાલીક સફાઈ માટે ખેડૂતોની રજૂઆત, જુઓ Video

ભાદર 1 સિંચાઇ વિભાગે 16 મેના રોજથી સિંચાઇ માટેનું પાણી છોડવાનો નિર્ણય કર્યો છે જેનાથી અંદાજિત 5થી 9 હજાર હેકટરને લાભ થવાનો છે, પરંતુ કેનાલની બાકી સફાઈને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 12:02 AM
Share

ધોરાજીમાં આમ તો ખેડૂતો આ સમયગાળા દરમ્યાન ખુશ હોવા જોઈએ. પરંતુ સતત આખું વર્ષ આકાશી આફતનો સામનો કરીને હારી ચૂકેલા ખેડૂતો આર્થિક રીતે પણ ભારે નુક્સાનમાં છે. કમોસમી અને અતિવૃષ્ટિને કારણે અનેકવાર ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે હવે પ્રિ-ખરીફ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ પાણીની માગ કરી હતી. તેમની આ માગને ધ્યાનમાં લઈને ભાદર 1 સિંચાઇ વિભાગ તારીખ 16મેથી સિંચાઇ માટેનું પાણી છોડશે. જેનો લાભ અનેક ખેડૂતોને મળશે.

સિંચાઇ વિભાગના અધિકારીઓની બેદરકારી કહો કે નિંભરતા આ કેનાલની હજુ સુધી સફાઈ હાથ ધરવામાં આવી નથી. કેનાલમાં હજુ ગંદકી, વૃક્ષોની ડાળીઓ અને કચરો જોવા મળી રહ્યો છે. કેનાલ જાણે કોઈ ખાતર ડેપો હોય તેવું સામે આવ્યું હતું. ત્યારે સિંચાઇ વિભાગ પાણી છોડતાં પહેલાં કેનાલની તાત્કાલીક સફાઈ કરે એવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોને 22 લાખનો દંડ, વીજચોરીને લઈ PGVCL દ્વારા કરાઈ કાર્યવાહી

જોકે આ તરફ ભાદર 1 સિંચાઇ વિભાગના અધિકારીનું કહેવું છે કે હાલ તો કેનાલ સફાઈ માટે કોઈ આયોજન નથી, હા કેનાલ છૂટ્યા બાદ કોઈ પ્રશ્ન ઊભો થશે અથવા કેનાલ છલકાવવાની સમસ્યા થશે તો તાત્કાલિક જેસીબી મશીન કે માણસો દ્વારા કેનાલમાં ફસાયેલો કચરો સાફ કરવામાં આવશે. આમ અધિકારીઓ તો હાલ સફાઈના નામે હાથ ઉંચા કરી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં મુશ્કેલી તો ખેડૂતોની જ વધવાની છે. આ જોતાં સિંચાઈ વિભાગ આ ખેડૂતોની વાત અને રજૂઆત સાંભળે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

ગુજરાત સહિત રાજકોટ જીલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">