AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : સુરતના માંગરોળમાં કમોસમી વરસાદનું નુક્સાની વળતર આપવા ખેડૂતોની માગ

Gujarati Video : સુરતના માંગરોળમાં કમોસમી વરસાદનું નુક્સાની વળતર આપવા ખેડૂતોની માગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 7:08 AM
Share

માંગરોળના વિસ્તરણ અધિકારીએ સહાયના નિયમોનું કારણ આપ્યું છે. અધિકારીએ કહ્યું કે- 33 ટકાથી વધુ વરસાદ હોય તો જ સહાય મળવાપાત્ર થાય છે.માંગરોળ તાલુકામાં 33 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી માંગરોળ તાલુકાને પસંદ કરવામાં નથી આવ્યો. તેમ છતાં વરસાદ આવ્યો ત્યારે જ ગ્રામસેવકોને માંગરોળ તાલુકામાં સર્વેની સૂચના આપી હતી.

સુરતના(Surat)  માંગરોળને પાક નુક્સાનીનું વળતર આપવામાં બાકાત રખાતાં ખેડૂતોમાં(Farmers)  રોષ વ્યાપ્યો છે. ખેડૂતોએ પરસેવો પાડીને મહામૂલો પાક તૈયાર કર્યો હતો. પરંતુ કમોસમી વરસાદના(Rain)  કારણે પાકને મોટાપાયે નુક્સાન ગયું છે.ખેડૂતોનો આક્ષેપ છે કે આ અંગે તેમણે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં માંગરોળ તાલુકાને સરકારી સહાયમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. જેને પગલે ખેડૂતોએ સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સહાયની માગ કરી છે.

તો બીજી તરફ માંગરોળના વિસ્તરણ અધિકારીએ સહાયના નિયમોનું કારણ આપ્યું છે. અધિકારીએ કહ્યું કે- 33 ટકાથી વધુ વરસાદ હોય તો જ સહાય મળવાપાત્ર થાય છે.માંગરોળ તાલુકામાં 33 ટકા કરતા ઓછો વરસાદ હોવાથી માંગરોળ તાલુકાને પસંદ કરવામાં નથી આવ્યો. તેમ છતાં વરસાદ આવ્યો ત્યારે જ ગ્રામસેવકોને માંગરોળ તાલુકામાં સર્વેની સૂચના આપી હતી. પરંતુ ખેડૂતો તરફથી કોઈ અરજી કે ફરિયાદ મળી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">