વડોદરામાં ગઈ કાલથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.વડોદરાના શિનોરના દિવેરથી મઢી તરફનું જવાનું નાળુ તૂટ્યું છે. ધોધમાર વરસાદ ખાબકતા નાળાનો એક મોટો ભાગ બેસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. નાળુ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેના પગલે લોકોને ફરીને જવાનો વારો આવ્યો છે.
બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા હાલાકી થઈ રહી છે. સાવલીના પીલોલ સહિત 5 ગામોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડાતા પાણી ફરી વળ્યા છે.જેના પગલે મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજીપુરા ગામ સંપર્ક વિહોણા થયા છે. જો કે ગામના રસ્તા પર પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે.