વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજોએ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની ‘શુભકામના’
ગુજરાતને (Gujarat) અલગ ઓળખ મળ્યાને આજે 62 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસને (Gujarat Foundation Day) લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે શુભકામનાઓ પાઠવી છે.
1 મે એટલે કે આજે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ (Gujarat Foundation Day)છે. દેશ આઝાદ થયો પછી 13 વર્ષે, 1960માં ગુજરાતનું અલગ, આગવું રાજ્ય સ્થપાયું હતુ. ગુજરાતને અલગ ઓળખ મળ્યાને આજે 62 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે ગુજરાત સ્થાપના દિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) શુભકામનાઓ પાઠવી છે. આજે ગુજરાતનો 63મો સ્થાપના દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા ગુજરાતવાસીઓને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના આદર્શોથી પ્રેરિત ગુજરાતના લોકો વિવિધ સિદ્ધિઓ માટે પ્રશંસનીય છે. ગુજરાત આવનારા વર્ષોમાં અવિરત પ્રગતિ કરતુ રહે તેવી અભિલાષા વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી.
On Gujarat’s Foundation Day, my greetings to the people of Gujarat. Inspired by the ideals of Mahatma Gandhi, Sardar Patel and several other greats, the people of Gujarat are widely admired for their diverse accomplishments. May Gujarat keep progressing in the coming years.
— Narendra Modi (@narendramodi) May 1, 2022
તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટમાં લખ્યુકે ગુજરાતના પરિશ્રમી નાગરિકોએ હંમેશા દેશના વિકાસને નવી ગતિ અને દિશા આપી છે. મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર ગુજરાતની અવિરત પ્રગિત માટે સમર્પિત છે.
On Gujarat’s Foundation Day, my greetings to the people of Gujarat. Inspired by the ideals of Mahatma Gandhi, Sardar Patel and several other greats, the people of Gujarat are widely admired for their diverse accomplishments. May Gujarat keep progressing in the coming years.
— Narendra Modi (@narendramodi) May 1, 2022
ગુજરાત સ્થાપના દિવસની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરિકોને સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતની પ્રજાએ સરકાર પર ભરોસો મુક્યો છે. તેમણે કહ્યું હતું કે અમે ગુજરાતની જનતાના ઋણનો સ્વીકાર કરીએ છીએ.
આ પણ વાંચો : Ahmedabad : શહેરના પોશ વિસ્તારમાં યુવાનોને ડ્રગ્સમાં રવાડે ચઢાવવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો વિગતે
આ પણ વાંચો : Valsad : ઉમરગામ નજીક રેલવે ટ્રેકના પાટા પર પથ્થર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, મોટી દુર્ઘટના ટળી