Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન નગરદેવી મા ભદ્રકાળીના ચરણોમાં નમાવ્યુ શિશ, વિધિવત કરી પૂજાઅર્ચના

પીએમ મોદીએ સતત બીજા દિવસે અમદાવાદમાં શાહીબાગથી સરસરપુર સુધીનો રોડ શો કર્યો હતો. આ દરમિયાન પીએ મોદીએ નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કર્યા હતા અને વિધિવત પૂજા અર્ચના કરી હતી. મંદિર ટ્રસ્ટ તરફથી પણ પીએમ મોદીને ભેટ અને પ્રસાદી આપવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 9:58 PM

વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનના પ્રચાર માટે પીએમ  નરેન્દ્ર મોદીએ આજે સળંગ બીજા દિવસે અમદાવાદમાં રોડ-શો કર્યો. શાહીબાગથી સરસપુર સુધી યોજાયેલી રોડ-શોમાં વડાપ્રધાન મોદીનો કાફલો નગરદેવી મા ભદ્રકાળીના મંદિરે પહોંચ્યો હતો. અહીં મોદીએ નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન બાદ વિધિવત પૂજા-અર્ચના કરીને માતાજીની આરતી ઉતારી હતી. આરતી બાદ પૂજારી અને મંદિર ટ્રસ્ટ તરફથી પીએમને ભેટ અને પ્રસાદી આપવામાં આવી હતી. ત્યારબાદ પીએમનો રોડ શો આગળ વધ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો જોવા માટે હજારો લોકો ઉમટ્યા હતા. રોડ શો રૂટ પર મોટી સંખ્યામાં દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ અને ચિચિયારીઓ પાડી, મોદી-મોદીના નારા સાથે પીએમ મોદીનું અભિવાદન જીલ્યુ હતુ. રોડ શો રૂટ પર જ્યારે પીએમ મોદીનો કાફલો પસાર થયો, ત્યારે ત્યાં હાજર તમામ લોકો મોબાઈલની ટોર્ચ શરૂ કરી પીએમ મોદીનું અભિવાદન જીલ્યુ હતુ.

સરસપુરમાં પીએમ મોદીએ સંબોધી જંગી જનસભા

રોડ શો પૂર્ણ થયા બાદ વડાપ્રધાને સરસપુરમાં જંગી જનમેદનીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને અમદાવાદના સરસપુરમાં જંગી જનસભાને સંબોધિત કરી 5મી ડિસેમ્બરે થનારા મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડવા માટે હાકલ કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આ વખતે મતદાનમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાખજો અને દરેકે દરેક સીટ પર કમલ ખીલવા જોઈએ. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે વિકાસ થાય એટલે કોંગ્રેસની તબિયત બગડે છે.

Follow Us:
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">