AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: ગિરનાર પર્વત પર અચાનક વરસાદ શરુ થતા 150થી વધુ યાત્રાળુઓ ફસાયા,જુઓ તમામના દિલધડક રેસ્ક્યૂના Video

Junagadh: ગિરનાર પર્વત પર અચાનક વરસાદ શરુ થતા 150થી વધુ યાત્રાળુઓ ફસાયા,જુઓ તમામના દિલધડક રેસ્ક્યૂના Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2025 | 10:00 AM
Share

જૂનાગઢના ગિરનાર પર્વત પર શનિવારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાળુઓનો એક મોટો સમૂહ ગિરનાર પર્વત પર સ્થિત જટાશંકર મહાદેવના દર્શન માટે ગયો હતો. દરમિયાન વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ આકરી બની ગઈ હતી અને આશરે 150 યાત્રાળુઓ પર્વત પર ફસાઈ ગયા હતા.

જૂનાગઢના ગિરનાર પર્વત પર શનિવારે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રદ્ધાળુઓનો એક મોટો સમૂહ ગિરનાર પર્વત પર સ્થિત જટાશંકર મહાદેવના દર્શન માટે ગયો હતો. દરમિયાન વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ આકરી બની ગઈ હતી અને આશરે 150 યાત્રાળુઓ પર્વત પર ફસાઈ ગયા હતા.

ભારે વરસાદના કારણે પર્વતના માર્ગો ફિસલતા અને જોખમભર્યા બની ગયા હતા, જેના કારણે પર્વત પરથી નીચે ઉતરવું મુશ્કેલ બની ગયું. ઘટનાની જાણ થતાં પોલીસ અને વન વિભાગની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ યાત્રાળુઓને સલામત રીતે ખસેડ્યા હતા.

હાલ ગિરનાર પર્વત વિસ્તાર માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તંત્ર દ્વારા સતત ચેતવણી આપવામાં આવી રહી છે અને સુરક્ષાના દૃષ્ટિકોણે પર્વત પર ચઢવા અંગે પાબંદી લગાવાઈ છે. છતાં, લોકો ચેતવણીની અવગણના કરતા જોવા મળે છે, જે તેમના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.

તંત્રએ ગિરનાર પર્વત પર ચેતવણીના બોર્ડ મૂક્યા હોવા છતાં યાત્રાળુઓએ સૂચનોને અનદેખી કરીને પ્રવાસ કરી રહ્યા છે. આવા દૃશ્યો પર પ્રશાસન દ્રઢતાપૂર્વક કાર્યવાહી કરશે તેવું તંત્રના સૂત્રોએ જણાવી છે. તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો હવામાનની આગાહી અને ચેતવનીઓનો સખત રીતે પાલન કરે અને પોતાનો તેમજ પરિવારનો જીવ જોખમમાં ન મૂકે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">