Gujarat Election: કોંગ્રેસના પાટીદાર નેતાઓ અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વચ્ચે થઇ બેઠક, જાણો શું રણનીતિ ઘડાઇ

થોડા મહિનાઓ પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ (Naresh Patel) રાજકારણમાં જોડાવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. આ ચર્ચા લગભગ પાંચ મહિના સુધી ચાલી હતી. જો કે 5 મહિના બાદ નરેશ પટેલે રાજનીતિમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 3:38 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) પહેલા રાજકારણ ગરમાયુ છે. અગાઉ તારીખ પે તારીખ આપીને અંતે રાજકારણમાં ન જોડાનારા નરેશ પટેલ (Naresh Patel) ચૂંટણી પહેલા ફરી ચર્ચામાં આવ્યા છે. નરેશ પટેલે કોંગ્રેસના (Congress) પાટીદાર નેતાઓ સાથે મુલાકાત કરી છે. તો નરેશ પટેલની કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત બાદ પાટીદાર નેતા મનહર પટેલનું મોટુ નિવેદન આપ્યુ છે. તેમણ જણાવ્યુ છે કે, આ વર્ષની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસને સપોર્ટ કરવાના છે.

થોડા મહિનાઓ પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ રાજકારણમાં જોડાવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ. આ ચર્ચા લગભગ પાંચ મહિના સુધી ચાલી હતી. જો કે 5 મહિના બાદ નરેશ પટેલે રાજનીતિમાં નહીં જોડાય તેવી જાહેરાત કરી હતી. નરેશ પટેલે તે સમયે જણાવ્યુ હતુ કે હું રાજકારણમાં નહીં જોડાઉં. તો નરેશ પટેલે રાજનીતિનો નિર્ણય મોકૂફ રાખતા જ કોંગ્રેસની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતુ. 2022 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાટીદાર નરેશ તરફ મીટ માંડીને બેઠી હતી અને નરેશ પટેલના માધ્યમથી ફરી એકવાર પાટીદારોના મત અંકે કરવાની રણનીતિ બનાવી હતી. જોકે નરેશ પટેલના એક નિર્ણયે કોંગ્રેસની તમામ યોજનાઓ ઉંધી વાળી દીધી હતી.

કોંગ્રેસ નેતા મનહર પટેલનો મોટો દાવો

જો કે હવે કોંગ્રેસના પાટીદાર નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરતા ફરી ચર્ચાએ જોર પકડ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા નરેશ પટેલે કોંગ્રેસના પાટીદાર નેતાઓ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસના પાટીદાર નેતાઓ દરેક ઝોનમાં ચિંતન શિબિર કરવાના છે. ત્યારે નરેશ પટેલ સાથેની આ મુલાકાત સૂચક માનવામાં આવે છે. આ મુલાકાતને લઇને પાટીદાર નેતા મનહર પટેલે પણ મોટુ નિવેદન આપ્યુ છે.

મનહર પટેલે જણાવ્યુ છે કે, નરેશ પટેલે 2017ની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસને મદદ કરી તે રીતે આ વખતે પણ મદદ કરશે. તો આ સાથે જ મનહર પટેલે નરેશ પટેલ સાથેની બેઠકમાં પાટીદાર નેતાઓને કોંગ્રેસમાં સાચવવા અને મેદાનમાં ઉતારવાની રણનીતિ ઘડાયાનો દાવો પણ કર્યો છે. જો નરેશ પટેલ કોંગ્રેસને સપોર્ટ કરશે તો કોંગ્રેસને ચૂંટણીમાં ઘણો ફાયદો થાય તેવી શક્યતા છે.

Follow Us:
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
બાળક રડ્યું તો સ્ટિયરિંગ પકડાવ્યું, જુઓ ટેમ્પો ટ્રાવેલરનો જોખમી વીડિયો
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો, 10 દરવાજા ખોલાયા
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
અંબાલાલ પટેલે કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસાદની કરી આગાહી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભ થઈ શકે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
અમદાવાદ કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">