નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગજવશે જાહેર સભાઓ, શહેરી વિસ્તારમાં કરશે રોડ શો

વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર અંગે મળતી માહિતી અનુસાર, 19મી એપ્રિલ બાદ મોદી ગુજરાતમાં જાહેરસભાઓ અને રોડ શો કરશે. ગુજરાતના વિવિધ ચાર ઝોનમાં કુલ છથી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે

Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 10, 2024 | 3:06 PM

ગુજરાતની 26 બેઠકો સહીત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 94 બેઠક માટે આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. લોકસભાની ચૂંટણીના સાત પૈકી ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાનાર છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પૂત્ર અને લોકલાડીલા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓ અને રોડ શોનું આયોજન ભાજપે ઘડી કાઢ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ચાર ઝોનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે.

વડાપ્રધાનના ચૂંટણી પ્રચાર અંગે મળતી માહિતી અનુસાર, 19મી એપ્રિલ બાદ મોદી ગુજરાતમાં જાહેરસભાઓ અને રોડ શો કરશે. ગુજરાતના વિવિધ ચાર ઝોનમાં કુલ છથી વધુ જાહેર સભાઓને સંબોધન કરશે. ત્રીજા તબક્કાની ચૂંટણીનુ જાહેરનામુ આગામી 12મી એપ્રિલના રોજ બહાર પડશે. જાહેરનામુ બહાર પડયાના ગણતરીના દિવસોમાં જ મોદી ગુજરાતમાં પ્રચાર શરૂ કરે તેવી સંભાવના છે.

ભાજપે ગુજરાતની 26 બેઠક પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે. તમામ ઉમેદવારોના ઉમેદવારીપત્રો ભરવાની તારીખ પણ નક્કી કરી દેવાઈ છે. આ સંજોગોમાં એક દિવસમાં બે સભા તથા એક રોડ શોનું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે તથા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સભાનું આયોજન થઈ રહ્યું છે.

 

 

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">