Ahmedabad: કોરોનાથી સાજા થયેલા મ્યૂકર માઈકોસિસનો થઈ રહ્યા છે શિકાર, સિવિલ કેમ્પસમાં 447 દર્દીઓ દાખલ

કોરોનાથી સાજા થયેલા પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકર માઈકોસિસનો શિકાર થઈ રહ્યા છે.

| Updated on: May 19, 2021 | 2:28 PM

અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં હાલ 447 મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ છે, તો બીજી તરફ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. વાવાઝોડાના દિવસે સિવિલમાં 27 જેટલા દર્દીઓ દાખલ થયા હતા. તો સિવિલમાં થર્ડ ફ્લોર મ્યુકોરમાઈકોસિસ માટે ફાળવવામા આવ્યો છે.

કોરોનાથી સાજા થયેલા પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીથી પીડાતા લોકો હવે મ્યૂકર માઈકોસિસનો શિકાર થઈ રહ્યા છે. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી જુદી જુદી હોસ્પિટલોમાં ૪૪૦થી ૪૫૦ જેટલા મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો.જે.વી.મોદીએ કહ્યું કે, જૂની સિવિલ હોસ્પિટલમાં ૩૬૦થી ૩૭૦ જેટલા દર્દીઓને સારવાર અપાઈ રહી છે. જેમાં ગઇકાલે ૨૦ જેટલા દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા વધી છે. સાથે જ આ રોગની સારવારમાં વપરાતાં એમ્ફોટેરિસિન બી ઈન્જેક્શન બજારમાં ઉપલબ્ધ નથી, જેના કારણે દર્દીઓને નાછુટકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં પણ આ ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે, જેના કારણે દર્દીઓને પૂરતા ઈન્જેક્શન મળતાં ન હોવાની દર્દીઓના સગાની બુમરાણ છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">