Dahod: ધાનપુરની આશ્રમશાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ થઇ દોડતી

દાહોદ (Dahod) જિલ્લાના ધાનપુરમાં આવેલા અગાસવાણીના શ્રી સત્યનામ આશ્રમ શાળામાં સાંજનું ભોજન લીધા બાદ 25થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી હતી. બાળકોને વોમીટિંગ શરુ થઇ ગઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 7:14 AM

એક તરફ રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે. જેના કારણે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. બીજી તરફ અન્ય બીમારીઓએ પણ અનેક સ્થળોએ માથુ ઉચક્યુ છે. ત્યારે આ તમામ વચ્ચે દાહોદમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના ધાનપુરમાં આવેલા અગાસવાણીના શ્રી સત્યનામ આશ્રમ શાળામાં સાંજનું ભોજન લીધા બાદ 25થી વધુ બાળકોની તબિયત અચાનક જ લથડી હતી. બાળકોને વોમીટિંગ શરુ થઇ ગઇ હતી. જેના પગલે શાળા તંત્ર, તાલુકા આરોગ્ય તંત્ર સહિતની ટીમ દોડતી થઇ ગઇ હતી અને બાળકોને સારવાર માટે ખસેડ્યા હતા.

25થી વધુ વિદ્યાર્થીઓને થયુ ફુડ પોઇઝનિંગ

દાહોદના ધાનપુરમાં અગાસવાણીની શ્રી સત્યનામ આશ્રમ શાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશ્રમ શાળામાં જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે. ત્યારે 16 ડિસેમ્બરે સાંજે શ્રી સત્યનામ આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ બાળકોની તબિયત લથડી હતી. બાળકોને વોમિટીંગ શરૂ થઈ ગઇ હતી. જે પછી આશ્રમશાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ અસર થઈ હોવાનું જણાયુ હતુ. બાદમાં આ તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બે બાળકોની તબીયત વધારે નાજુક થતા વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા. હાલ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો આશ્રમ પર પહોંચી હતી. અને ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી તપાસ હાથ ધરી છે.

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">