Dahod: દાહોદમાં વરઘોડો એક બાજુ રહી ગયો અને જાનૈયાઓ દોડતા થઈ ગયા, DJના ઘોંઘાટથી છંછેડાયેલી મધમાખીએ જાનૈયાઓ ઉપર કરી દીધો હુમલો!

પાંદડી ગામમાં જાનૈયાઓ ડીજેના સંગીત પર ડોલી રહ્યા હતા ત્યારે  મધપૂડામાંથી મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક એવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ડીજેના  મોટા અવાજ  તેમન ડીજેના કારણે ઉભી થતી ધ્રૂજારી (vibrations) ના કારણે મધમાખીઓ છંછેડાઈ હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 7:34 AM

વરરજાનો વરઘોડો જ તો હોય ત્યારે જાનૈયાઓએ ડીજેના તાલે ઝૂમી ઉઠતા હોય  છે જોકે દાહોદ જિલ્લાના ગરબાડામાં  પાંદડી ગામ ખાતે એવી ઘટના બની હતી કે હસી ખુશીના માહોલમાં જતા જાનૈયાઓમાં બૂમરાણ મચી ગઈ હતી.  વરઘોડો પસાર થતો હતો ત્યારે જાનૈયાઓએ પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં 15થી વધુ જાનૈયાઓ મધમાખીના ડંખનો ભોગ બન્યા છે મધમાખીના ડંખનો ભોગ બન્યા હોય તેવા ઇજાગ્રસ્તોમાં મહિલા , પુરૂષો અને બાળકોનો સમાવેશ થાય છે.  આ  ઘટના  બાદ ઇજાગ્રસ્તોને  ગરબાડા, અભલોડ તેમજ દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને  આ લોકોને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.Dahod: ,

ડીજેના અવાજથી મધમાખીઓ છંછેડાઈ હોવાનુ અનુમાન

પાંદડી ગામમાં જાનૈયાઓ ડીજેના સંગીત પર ડોલી રહ્યા હતા ત્યારે  મધપૂડામાંથી મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક એવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ડીજેના  મોટા અવાજ  તેમન ડીજેના કારણે ઉભી થતી ધ્રૂજારી (vibrations) ના કારણે મધમાખીઓ છંછેડાઈ હતી અને મધમાખીઓએ ઉડીને  જાનૈયાઓને ડંખ માર્યા હતા. આ મધમાખીઓના ડંખ તીવ્ર હોવાને કાણે ઘણા ઇજાગ્રસ્તોના ડંખ પાકી ગયા હોવાની વિગતો પણ સામે આવી છે.  જે લોકોને સામાન્ય ડંખ વાગ્યા હતા તે કાઢ્યા બાદ ધનુર ઈન્જેક્શન આપી રજા આપી હતી પરંતુ 6 જેટલા જાનૈયાઓ ગંભીર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">