AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વરસાદ ખેંચાયો હવે શું થશે, સુરતમાં માંગરોળના ખેડૂતોની હાલત કફોડી, જુઓ Video

માંગરોળ તાલુકામાં મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતોની ચિંતા વધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:31 PM
Share

એક તરફ રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. બીજી તરફ સુરતમાં વરસાદ ખેંચાતા માંગરોળના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ ન આવતા સોયાબીનના પાકમાં જીવાત પડતા ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો. ખેડૂતોએ સારા વરસાદની આશાએ સોયાબીનના પાકની વાવણી કરી હતી.

પરંતુ હાલ વરસાદનો એક છાંટો પણ ન થતા તૈયાર ઉભા પાકમાં જીવાતો પડી છે. જેના કારણે પાક નષ્ટ થવાના આરે છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા માગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad: AMCની ઢોર પકડ પાર્ટીની કામગીરી સામે પશુપાલકોનો વિરોધ, જુઓ Video

માંગરોળ તાલુકામાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે અને ખેતીમાં જે પણ આવક થાય તેના પર ઘરનું ગુજરાન ચાલતું હોય છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવીને અને સોનાના દાગીના ગીરવે મુકી વાવેતર કર્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદ નહીં આવતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. હવે વરસાદ કયારે આવશે તેની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">