ખાખી પર લાગ્યો કલંક! કડી હુમલા કેસમાં 25 દિવસ વીત્યા છતાં ફરાર આરોપીઓ સામે ન કરાઈ કોઈ કાર્યવાહી
મહેસાણાના કડીમાં સોલંકી રવિરાજસિંહ નામના ક્ષત્રિય યુવક પર તલવાર અને કુહાડી જેવા હથિયારોથી થયેલા જીવલેણ હુમલાના 25 દિવસ બાદ પણ ન્યાય ન મળતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ક્ષત્રિય યુવક રવિરાજસિંહ સોલંકી પર થયેલા અત્યંત ક્રૂર હુમલાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. હુમલાખોરોએ તલવાર અને કુહાડીના ઘા ઝીંકી યુવકને 40 જેટલા ફ્રેક્ચર કર્યા હોવા છતાં, બનાવના 25 દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતા ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે.
અમદાવાદ અને મહેસાણાના ક્ષત્રિય આગેવાનોની આગેવાનીમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને ક્ષત્રિય આગેવાન અભિજીતસિંહ બારડે પોલીસ તંત્રની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે રાજકીય દબાણના કારણે પોલીસ આ કેસમાં ઢીલી નીતિ અપનાવી રહી છે અને આરોપીઓ બેખોફ ફરી રહ્યા છે.
ક્ષત્રિય સમાજે માંગ કરી છે કે ફરાર આરોપીઓ સામે આઈપીસી કલમ 307 અને 120B હેઠળ ગુનો નોંધી તેમની તુરંત ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
