Mahisagar: ગોધરાથી મોડાસા જઈ રહેલા પરિવારનો લુણાવાડા નજીક અકસ્માત, ગાડીના થયા ટૂકડે ટૂકડા, 4 લોકોનો ચમત્કારિક બચાવ
Mahisagar: મહિસાગરમાં લુણાવાડાના મધવાસ ગામ નજીક ગોધરાથી મોડાસા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમા ગાડીના ટૂકડે ટૂકડા થયા હતા, જો કે પરિવારના તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.
મહિસાગર (Mahisagar)ના લુણાવાડાના મધવાસ ગામ નજીક એક વિચિત્ર અકસ્માત (Accident)ની ઘટના ઘટી હતી. મધવાસ ગામ નજીક નદીના પુલ પર આ અકસ્માત થયો હતો. જેમા ગોધરાથી મોડાસા જઈ રહેલો પરિવાર મધવાસ ગામની પુલ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમની કાર પલ્ટી ખાઈ ગઈ હતી, જેમા ગાડીના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કારમાં સવાર ચારેય લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. ગાડીના દરેકે દરેક સ્પેરપાર્ટના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા, જો કે સદ્દનસીબે કારમાં સવાર ચારેય લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
ગંભીર અકસ્માતમાં 4 લોકોનો ચમત્કારિક બચાવ
અકસ્માતની આ ઘટના ઘણી ગંભીર હતી. જેમા ગાડીના ટૂકડાઓ દૂર દૂર સુધી ઉડ્યા હતા. કોઈ ટૂકડો અહીં પડ્યો તો કોઈ ત્યાં પડ્યો એવી સ્થિતિ હતી. કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. જેમા ગાડીનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો છે, પરંતુ તેમા સવાર ચારેય લોકોનો બચાવ થયો છે. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં યથાર્થ સાબિત થઈ રહી છે.
જો કે અકસ્માતના જે પ્રકારે દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા એટલુ તો ચોક્કસ છે કે અકસ્માતની આ ઘટના ઘણી ગંભીર હતી. પરંતુ તેમા સવાર લોકોને માત્ર નાની-મોટી ઈજા આવી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ ગયા હતા અને તેમણે ગાડીમાં સવાર લોકોને સલામત રીતે બહાર નીકળવામાં મદદરૂપ થયા હતા.