લોકસભા ચૂંટણી પહેલા ભાવનગરમાં ક્ષત્રિય સમાજમાં ઉઠ્યા નારાજગીના સૂર, પ્રતિનિધિત્વ આપવા ઉઠી માગ- વીડિયો

|

Mar 12, 2024 | 11:15 PM

લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજમાં નારાજગીના સૂર ઉઠ્યા છે અને અવગણના થતી હોવાની પીડા વ્યક્ત કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે વિધાનસભાથી લોકસભા સુધી ક્ષત્રિય સમાજને પુરતુ પ્રાધાન્ય અપાતું નથી અને અન્યાય થઈ રહ્યો છે.

ભાવનગરમાં લોકસભા ચૂંટણીમા હજું ઉમેદવાર જાહેર થયા નથી. પણ ત્રીજી નંબરની બહુમતી ધરાવતા ક્ષત્રિય સમાજમાં લોકસભાની ચૂંટણી પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે. એક સમય હતો કે રાજકીય પક્ષો વિધાનસભા અને લોકસભામાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને અગ્રતા આપતી હતી. પણ છેલ્લા કટેલાક સમયથી અહિં જ્ઞાતીના સમીકરણ બદલાયા છે. ત્યારે ભાજપમાં ક્ષત્રિય સમાજની અવગણના થતી હોય તેવો ગણણાટ પણ શરુ થયો છે.

ભાવનગર વિધાનસભા કે લોકસભાની વાત થતી ત્યારે પરબતસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, મહવીર સિંહ જેવા નામો હંમેશા યાદ કરાતા. તાલુકા પંચાયત થી જિલ્લા પંચાયત સુધી. વિધાનસભાથી લોકસભા સુધી ક્ષત્રિય સમાજને પુરતુ પ્રાધાન્ય અપાતું પણ હાલ પવનની દિશા બદલાઇ છે. ક્ષત્રિય સમાજની અવગણના થતી હોય તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા અને પક્ષને વફાદર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે અન્યાય થતો હોય તેવી ચર્ચા છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપમાંથી 3-3 ક્ષત્રિય ઉમેદવાર જીતીને આવ્યા હોવા છતા ચેરમેન પદ પર એક પણ ઉમેદવારની પસંદગી ન કરાઇ. ક્ષત્રિય સમાજના એક આગેવાનનો આક્ષેપ છે કે મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ક્ષત્રિય સમાજના આગેવાનને ભાજપમાં સાઇડ લાઇન કર્યા હોય તેવો ઘાટ ઘડાયો છે.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ કરવાના મુડમાં નથી, પરંતુ ગાંધીનગર અને દિલ્લી બેઠેલા ભાજપના દિગ્ગજ નેતાઓ સુધી પોતાની રજૂઆતો અને અપીલ કરી રહ્યાં છે અને સમાજની વફાદારી અને નૈતિકની સામે સમાજના આગેવાનોને પક્ષ અને સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી અરજ કરી રહ્યાં છે.

ઈનપુટ ક્રેડિટ- અજીત ગઢવી-ભાવનગર

આ પણ વાંચો: કોંગ્રેસે પોરબંદરથી ભાજપના મનસુખ માંડવિયા સામે લલિત વસોયાને આપી ટિકિટ, વસોયાએ tv9 પર આપી આ પ્રતિક્રિયા- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:13 pm, Tue, 12 March 24

Next Article