KUTCH : નખત્રાણામાં રવિભાણ આશ્રમના મહંત પર હુમલો, રોષે ભરાયેલા સ્થાનિકોના ટોળા પોલીસ સ્ટેશન પહોંચ્યા
નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે આ બનાવ બન્યો છે.
KUTCH : જિલ્લાના નખત્રાણાના વિરાણી ગામ ખાતેના રવિભાણ આશ્રમના મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. મહંત પોતાની વાડી પર હતા ત્યારે પાસેની પવનચક્કીના કર્મચારીઓએ તેમના પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહંત પર હુમલાના પગલે રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. અને આરોપીઓની તાત્કાલીક ધરપકડની માગ કરી હતી. પોલીસ દ્વારા ભીનું સંકેલવાના ભાગરૂપે જીવલેણ હુમલાની ફરીયાદ ન લેતા ઉપસ્થિત લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો.
Latest Videos
Latest News