Gujarati Video: લવ જેહાદના કિસ્સા રોકવા ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવા VHPની અપીલ

VHP On Navratri: નવરાત્રિ દરમિયાન લવજેહાદના કિસ્સા ન બને તે માટે ગરબા આયોજકોને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે. ગરબામાં મુસ્લિમોને એન્ટ્રી ન આપવા અને ગરબા રમવા આવતા યુવકોને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોઈને એન્ટ્રી આપવા VHPના સુરેન્દ્ર જૈન દ્વારા અપીલ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 9:47 AM

VHP On Navratri: શક્તિની ઉપાસના અને માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. જો કે નવરાત્રિની શરૂઆત પહેલા જ લવ જેહાદના કિસ્સાઓને લઈને વિવાદે એન્ટ્રી લઈ લીધી છે. આ વિવાદ હાલ ધાર્મિક યુદ્ધમાં પલટાઈ રહ્યો છે. જેમા હિંદુ સંગઠનોના નેતાઓ દ્વારા આવતા નિવેદનો વિવાદને જન્મ આપી રહ્યા છે. ગરબાના કોઈ પણ આયોજક કોઈ પણ મુસ્લિમને ગરબામાં આવવા ન દેવા અપીલ કરાઈ છે.  VHPના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને જણાવ્યુ છે કે જે પ્રકારે હિન્દુ શોભાયાત્રા પર હુમલા થાય છે, તે જોતાં હવે નવરાત્રિમાં મુસ્લિમ યુવક-યુવતીઓ સામેલ ન થાય.

સુરેન્દ્ર જૈનએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ગરબામાં કોઈ મુસ્લિમ ન આવે તે VHP, બજરંગદળ સુનિશ્ચિત કરશે. સાથે જ રાજ્ય સરકારે પણ કોઈ મુસ્લિમ ગરબામાં ન આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે VHP દ્વારા ગરબા આયોજકોને અપીલ કરાઈ છે કે ગરબામાં વિધર્મીઓને એન્ટ્રી ન આપવામાં આવે તેમજ જે યુવકો ગરબા રમવા આવે તેને આઈકાર્ડ અને આધાર કાર્ડ જોયા બાદ જ એન્ટ્રી આપવાની અપીલ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: દાદાગીરી ભારે પડી! કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ વિવાદ મામલે શિક્ષકને માર મારનાર ABVPના 3 કાર્યકર સામે ફરિયાદ- Video

“ડભોઈમાં તિલક બાદ જ ખૈલૈયાઓને મળશે પ્રવેશ”

આવું જ કંઈક નિવેદન ભાજપના ધારાસભ્ય પણ કરી ચૂક્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું, કે તિલક સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતીક હોવાથી ફરજિયાત કરાયું છે. ડભોઈના ગઢ ભવાની ગ્રૂપના ગરબામાં તિલક બાદ જ ખેલૈયાઓને પ્રવેશ મળશે. હજુ નવરાત્રિ શરૂ થઈ નથી. પરંતુ જે પ્રકારે આ માગણીઓ થઈ રહી છે. તે જોતા, જો નવરાત્રિમાં કોઈ નવી-જૂની થાય તો નવાઈ નહીં.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">