Gujarati Video: H3N2ને લઈને તાપી જિલ્લા તંત્ર સતર્ક, આરોગ્ય વિભાગે ભર્યા સાવચેતીના પગલાં

H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:40 PM

રાજ્યમાં કોરોનાની સાથે સાથે H3N2 વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને જોતા વિવિધ જિલ્લા તંત્રએ સાવચેતીના પગલા ભર્યા છે. આ તરફ તાપી જિલ્લા સિવિલ હોસ્પિટલ પ્રશાસન પણ H3N2ની દહેશતને પગલે સાબદું બન્યું છે. તાપીની સિવિલ હોસ્પિટલમાં 8 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં હાલ કોરોનાનો એક પણ કેસ નથી, પરંતુ અગમચેતીના ભાગરૂપે જિલ્લાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે

ICMRની ગાઈડલાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

આજે કોરોનાના 303 કેસ

દરમિયાન આજે કોરોનાના 303 કેસ નોંધાયા છે અને વલસાડમાં એક મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું હોવાના અહેવાલ પ પણ પ્રાપ્ત થયા છે તો અમદાવાદમાં 118, રાજકોટમાં 30, સુરતમાં 25, મોરબીમાં 17, વડોદરામાં 16, રાજકોટ જિલ્લામાં 14, વડોદરા જિલ્લામાં 14, સુરત જિલ્લામાં 08, અમરેલીમાં 06, જામનગરમાં 06, મહેસાણામાં 06, સાબરકાંઠામાં 06, ભાવનગરમાં 05, કચ્છમાં 05, બનાસકાંઠામાં 04, પાટણમાં 04, વલસાડમાં 04, ગાંધીનગરમાં 03, પોરબંદરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, નવસારીમાં 02, ભરૂચ 01,ભાવનગરમાં 01અને ખેડામાં 01 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 1697 એ પહોંચ્યા છે. જેમાં કોરોના રિકવરી રેટ 99.00 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 134 દર્દી સાજા થયા છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">