Gujarati Video: અંબાજીમાં ચૈત્રી આઠમની નવરાત્રિમાં જવારા અને અન્નકૂટનું આયોજન, મોટી સંખ્યામાં ઉમટ્યા દર્શનાર્થીઓ, જુઓ Video

મંદિર પરિસરમાં અનુષ્ઠાન અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે આઠમ અને અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 10:50 PM

ચૈત્રી નવરાત્રિનું પવિત્ર પર્વ હવે પૂર્ણતાને આરે છે ત્યારે આજે આઠમા નોરતાને દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન દરમિયાન વાવેલા જવારાની ઉત્થાપન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. મંદિરમાં ભટ્ટજી મહારાજે આરતી ઉતારી દેશભરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી રહે તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત મંદિરમાં અન્નકુટનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ મંદિરમાં 3 વાર આરતી કરવામાં આવતી હતી. હવે ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થતા આવતીકાલથી અંબાજી મંદિરમાં રાબેતા મુજબ 2 વખત આરતી કરવામાં આવશે.

આ પણ વાંચો: Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

ચૈત્રી નવરાત્રી પર્વને લઈ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારની મંગળા આરતીમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. મંદિર પરિસરમાં અનુષ્ઠાન અને હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે આઠમ અને અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી પૂર્ણ થતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી મંદિરનું પરિસર ગુંજી ઉઠયું હતું. ભક્તોએ મા અંબેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આગામી પૂનમ ચૈત્રી પૂનમ હોવાથી અહીં મોટી સંખ્માં માઈભક્તો ઉમટી પડે તેવી શકયતા છે. ત્યારે પૂનમના દિવસે પણ મંદિર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">