AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા

સુરતના આ જ્વેલર્સ દ્વારા જે અલગ અલગ ચાંદીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે તેનો મહત્વનો ઉદ્દેશ એ છે કે આગામી દિવસોમાં સુરતના ભાવિકો એક મહિના સુધી આ મંદિરના દર્શન કરી શકે. તેમજ  રામ નવમીના પર્વ પહેલા અયોધ્યાના મંદિર જેવા જ દર્શન થઈ શકે. 

Surat: ચૈત્રી નવરાત્રિથી કરી શકશો મન મોહી લેતા અયોધ્યાની પ્રતિકૃતિ સમાન રામ મંદિરના દર્શન, કિંમત 70 હજારથી માંડીને 5 લાખ રૂપિયા
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 20, 2023 | 8:26 PM
Share

રામનવમીનું પર્વ નજીક છે ત્યારે સુરતમાં એક જ્વેલર્સ દ્વારા સુંદર મજાની રામમંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણાધીન છે ત્યારે સુરત શહેરના એક જ્વેલર્સે એક અનોખું રામ મંદિર બનાવ્યું છે. જેને ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે દર્શન માટે ખુલ્લુ મૂકવામાં આવશે. આ મંદિરની વિશેષતા એવી છે કે તમને સાત સાત રામ મંદિરના દર્શન થતા હોય તેવો આભાસ થાય છે.

ચાંદીના રામ મંદિરના રામનવમીએ થશે દર્શન

સુરતના જ્વેલર્સ દિપક ચોક્સીના શો રૂમમાં બનાવાવમાં આવેલું  ચાંદીનું રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ રામ નવમીના દિવસે આ ચાંદીના મંદિરની પ્રતિકૃતિ ભાવિકો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે.

સુરતના જ્વેલર્સે રામ નવમી ધ્યાને રાખીને તેમજ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ચાંદીનું મંદિર બનાવ્યું છે અને તેમાં સરસ મજાની કોતરણી પણ કરી છે. ચાંદીમાંથી બનેલા આ રામ મંદિરની કિંમત 80 હજાર થી લઈ 5 લાખ સુધી રાખવામાં આવી છે.

બે મહિનાની મહેનત બાદ નિર્માણ પામ્યું મંદિર

ચાંદીની અલગ અલગ પ્રતિકૃતિ બનાવવા માટે અંદાજિત બે મહિના સુધીનો સમય લાગ્યો છે. સૌ પ્રથમ તો આરામ મંદિરની પ્રતિકૃતિ પુઠાની અંદર ઊભી કરવામાં આવી હતી. ચાંદીમાંથી બનાવેલા આ રામ મંદિર માટે પહેલા ડિજિટલ ફ્રેમ બનાવવામાં આવી હતી . ત્યારબાદ લાકડામાં મંદિર બનાવાયું હતું અને આખરે તેને છેલ્લો ઓપ આપીને મંદિરને ચાંદીમાં ઢાળવામાં આવ્યું હતું. દેશમાં આગામી વર્ષમાં જ્યારે રામમંદિર ભાવિકો માટે ખુલ્લૂ મૂકાશે, ત્યારે લોકો તેના દર્શન કરી શકશે. જોકે સુરતમાં ભાવિકો તે  પહેલા જ ચાંદીના રામ મંદિરના દર્શન કરી શકશે.

સુરતના આ જ્વેલર્સ દ્વારા જે અલગ અલગ ચાંદીની ચાર રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે તેનો મહત્વનો ઉદ્દેશ એ છે કે આગામી દિવસોમાં સુરતના ભાવિકો એક મહિના સુધી આ મંદિરના દર્શન કરી શકે. તેમજ  રામ નવમીના પર્વ પહેલા અયોધ્યાના મંદિર જેવા જ દર્શન થઈ શકે.

રામ મંદિરની અલગ અલગ વજનની પ્રતિકૃતિ બનાવાઈ

  • 600 ગ્રામ, 1.250 કિલો, 3.500 કિલો અને 5 કિલોના  જુદા જુદા 4 રામ મંદિર બનાવવામાં આવ્યા છે.
  • 70 હજારથી લઈને  5 લાખની કિંમત છે મંદિરની
  • પ્રતિકૃતિને પ્રથમ નવરાત્રિથી લોકોના દર્શન માટે મુકાશે.
Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
g clip-path="url(#clip0_868_265)">