AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજકોટમાં માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન, યાર્ડમાં ઘઉં, જીરા સહિતની જણસો પલળી જતા બેવડો માર

Rajkot: જિલ્લાના ખેડૂતોને માવઠાને કારણે રડવાનો વારો આવ્યો છે. ખેતરમાં ઉભા પાકને માવઠાને કારણે નુકસાન પહોંચ્યુ છે તો બીજી તરફ યાર્ડમાં ઘઉં, જીરા, સહિતનો પાક પલળી જતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 5:48 PM
Share

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. તેમાં જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો અહીં મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક પલળી ગયો છે. ખેડૂતોનો તૈયાર માલ કે જે યાર્ડ સુધી પહોંચી ગયો હોવા છતા પલળી ગયો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ યાર્ડ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

ખેડૂતોનું કહેવું છે કે, વરસાદની આગાહી હોવા છતા યાર્ડે માલ ખુલ્લામાં ઉતારવાની ફરજ પાડી હતી. કહેવામાં આવી રહ્યું છેકે, યાર્ડે 8 કરોડ રૂપિયાના ખર્ચે શેડ બનાવ્યો છે. માવઠાની આગાહી હોવા છતા અને ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા માલ ખુલ્લામાં ઉતારવામાં આવ્યો હતો, જેના પગલે ખેડૂતોનો ઘઉં, જીરૂ અને ધાણા સહિતનો પાક તણાઈ ગયો. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, આ નુક્સાની યાર્ડ તંત્ર ભોગવે.

તો આ તરફ માર્કેટ યાર્ડના સત્તાધિશોને આ અંગે સવાલ કરવામાં આવ્યા તો જવાબમાં ગલ્લાતલ્લા જ સાંભળવા મળ્યા. APMC સેક્રેટરીને જ્યારે પૂછવામાં આવ્યું કે, હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોનો પાક શા માટે ખુલ્લામાં મુકવામાં આવ્યો છે. ત્યારે તેમણે સ્વીકાર્યું કે, તેમને આ અંગે કોઈ જાણકારી નહોંતી તેમ છતા યાર્ડની કોઈ બેદરકારી છે તે સ્વીકારી રહ્યા નથી.

આ પણ વાંચો: Gujarat News : કૃષિ વિભાગને સોંપાયેલા રિપોર્ટે ખેડૂતોને કર્યા નિરાશ, શિયાળામાં થયેલા માવઠામાં કોઇ નુકસાન ન થયાનો રિપોર્ટમાં ઉલ્લેખ

યાર્ડમાં ખેડૂતોને 20 લાખથી 25 લાખ રૂપિયાનું નુક્સાન ગયું છે. APMCના ડિરેક્ટરે યાર્ડના કર્મચારીઓની બદેરકારી હોવાનો આક્ષેપ કર્યો છે. ડિરેક્ટરના કહેવા પ્રમાણે 5 દિવસથી આગાહી અંગે રજૂઆત કરવામાં આવી હતી અને શેડમાં જગ્યા હોવા છતા ખેડૂતોને માલ ખુલ્લામાં મુકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સાથે જ સવાલ ઉઠાવ્યો કે જો યાર્ડમાં વ્યવસ્થા ન હતી તો ખેડૂતોને માલ લાવવા પર મનાઈ કરવી જોઈતી હતી તે ન કરવામાં આવી.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">