Gujarati Video : અમદાવાદમાં રેશનકાર્ડ ધારકોને સડેલા અનાજનું કરાયુ વિતરણ, CMO સુધી પહોંચી ફરિયાદ

Ahmedabad News : સરકાર દ્વારા ગરીબો માટે સારી ગુણવત્તાનું અનાજ પહોંચે તે માટે અનાજનો જથ્થો આપી તો દેવામાં આવે છે. જો કે ગોડાઉનમાં પડેલા અનાજનું સમયસર વિતરણ ન કરવામાં આવતા અનાજમાં જીવાતો પડી જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 8:32 AM

સરકાર દ્વારા ગરીબોને સસ્તા ભાવે સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. જો કે બીજી તરફ સામાન્ય જનતા સુધી સારી ગુણવત્તાનું અનાજ પહોંચી શકતુ નથી. અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકોને સડેલું અને જીવાત પડેલું અનાજ વિતરણ થતું હોવાની બુમરાણ ઉઠી છે. અમદાવાદ શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડ ધારકોને તુવેરની દાળમાં કાળા જીવડા પડેલું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહિનાઓથી શાહીબાગના ગોડાઉનમાં તુવેરદાળનો જથ્થાબંધ સંગ્રહ કરાયો હતો જેના પગલે તુવેર દાળમાં જીવાતો પડી હતી.

સરકાર દ્વારા ગરીબો માટે સારી ગુણવત્તાનું અનાજ પહોંચે તે માટે અનાજનો જથ્થો આપી તો દેવામાં આવે છે. જો કે ગોડાઉનમાં પડેલા અનાજનું સમયસર વિતરણ ન કરવામાં આવતા અનાજમાં જીવાતો પડી જાય છે. ત્યારે આવા જથ્થાનો નાશ કરવાના સ્થાને અમદાવાદમાં આ અનાજનું વિતરણ કરી દેવાની ઘટના સામે આવી છે. આ જથ્થાનો નાશ કરવાને બદલે પુરવઠા વિભાગે રેશનસંચાલકોને ફરજિયાત ઓનલાઈન ચલણના રુપિયા ભરાવીને સડેલી તુવેરદાળ પધરાવી હોવાનો આરોપ છે. સાથે જ રેશનસંચાલકો પણ સડેલા અનાજની વિતરણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે, રાજ્યમાં BPL-અંત્યોદય-APL-1 ના રેશનકાર્ડ ધારકોને દરમાસે કાર્ડ દીઠ 50 રૂપિયામાં એક કિલો તુવેરદાળ અને દેશી ચણા ત્રીસ રુપિયાના ભાવે વિતરણ કરાઈ છે. પરંતુ રેશનધારકો સડેલા અનાજની રાવ લઈને રેશન સંચાલકને આ અનાજ પરત કરી રહ્યા છે. સાથે જ રેશનધારકોએ CMOને પણ સડેલા અનાજને લઈ રજૂઆત કરી છે. અને ત્વરીત આ સડેલા અનાજનો નિકાલ કરીને શુદ્ધ અનાજનો જથ્થો વિતરણ થાય તે માટે માગ કરી છે.

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">