Ahmedabad: રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટના અમલ અંગે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

રાજ્ય સરકાર અને AMCએ બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી અને તેને બિલ્ડીંગ-યુઝ (BU) પરમિશન ન ધરાવતા હાઈરાઈઝ ઈમારતો સામે સીલિંગ ઝુંબેશ વિશે માહિતી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:03 PM

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 29 નવેમ્બરે BU પરવાનગી અને ફાયર એનઓસી (Fire NOC) વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જે બાદ સત્તાધીશોએ માન્ય BU પરવાનગીઓ અને ફાયર એનઓસી ન મેળવવા બદલ ઈમારતો સામે કરેલી કાર્યવાહીની કોર્ટને જાણ કરી હતી. 29 નવેમ્બરના એક દિવસ પહેલા જ શહેરમાં હાઈરાઈઝમાં આગની બે ઘટનાઓ નોંધાઈ હતી. જેથી કોર્ટે કડક સૂચનાઓ જાહેર કરી હતી.

રાજ્ય સરકાર અને AMCએ બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી અને તેને બિલ્ડીંગ-યુઝ (BU) પરમિશન ન ધરાવતા હાઈરાઈઝ ઈમારતો સામે સીલિંગ ઝુંબેશ વિશે માહિતી આપી હતી.

કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાને લઇ PIL

હાઈકોર્ટ એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરી રહી છે જેમાં ફાયર સેફ્ટી નિયમો અને GDCR (General Development Control Regulations)ના યોગ્ય અમલીકરણની માગ કરવામાં આવી છે. PIL ગયા વર્ષે બે હોસ્પિટલોમાં લાગેલી આગને કારણે કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ અને રાજકોટમાં 13 કોવિડ-19 દર્દીઓના મોત થયા હતા.

સરકારે પોતાની રજૂઆત મુકી

રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે, તેને રાજ્યભરમાં મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં 1,863 ભૂલ ભરેલી હાઈરાઈઝ ઇમારતો મળી છે, જેમાંથી 28 સીલ કરવામાં આવી છે. બધા સામે પગલાં લેવામાં સક્ષમ ન હોવા અંગે, સરકારે કહ્યું કે તેની પાસે માનવ બળની અછત છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 60 બિલ્ડીંગોમાં પાણી પુરવઠો અને 78 ઈમારતોમાં ગટરના જોડાણો તોડી નાખવામાં આવ્યા હતા.

AMCએ જણાવ્યું હતું કે માર્ચ 2021થી 203 ઇમારતો અને 3,173 એકમોને સીલ કરવામાં આવ્યા છે કારણ કે તેમની પાસે BU પરવાનગીઓ નથી. નાગરિક સંસ્થા(Civic organization)એ જણાવ્યું હતું કે તેણે “માન્ય BU પરવાનગી વિના ઇમારતોને ઓળખવા માટે તમામ વ્યવહારુ, શક્ય અને ત્વરિત પગલાં અને સીલિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી”

રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારોમાં તમામ 104 હોસ્પિટલો અને 301 શાળાઓમાં માન્ય ફાયર એનઓસી વિના મળી આવી હતી. સત્તાવાળાઓએ 104 બિન-અનુપાલન કરતી હોસ્પિટલોમાંથી 52ને સીલ કરી દીધી છે, 34ના પાણીના જોડાણો તોડી નાખ્યા છે અને સાત હોસ્પિટલોમાં ગટરની લાઈનો કાપી નાખી છે. 301 શાળાઓમાંથી, 127 સીલ કરવામાં આવી છે, 83માં પાણી પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.

6 માસમાં ફાયર વિભાગમાં 353 ભરતી

રાજ્ય સરકારે એમ પણ જણાવ્યું છે કે તેના ફાયર વિભાગોએ છેલ્લા છ મહિનામાં વિવિધ સ્તરે 353 કર્મચારીઓની ભરતી કરી છે અને નજીકના ભવિષ્યમાં 150 વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. AMC માટે, અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે ફાયર વિભાગે છેલ્લા 45 દિવસમાં 150 હાઈરાઈઝ સહિત 558 નવા ફાયર NOC જાહેર કર્યા છે.

ફાયર વિભાગ એવી માત્ર આઠ ઈમારતોને ઓળખી શક્યા કે જેઓ તેમના પરિસરમાં ગેરકાયદે બાંધકામોને કારણે ફાયર ટેન્ડર દ્વારા સંપર્ક કરી શકાય તેમ નથી. આવી જગ્યાના પ્રમુખોને નોટિસ પાઠવવામાં આવી છે. AMCએ કહ્યું કે તેણે 251 શાળાઓને ક્લોઝર નોટિસ જારી કરી છે જેમની પાસે ફાયર NOC નથી. હાઈકોર્ટમાં ગુરુવારે આ મુદ્દે સુનાવણી થવાની છે.

 

આ પણ વાંચોઃ IPL 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો ધમાકો, 22 હજાર રન બનાવનારા અને 1347 વિકેટ ઝડપનારા દિગ્ગજોને કર્યા સામેલ

આ પણ વાંચોઃ Phone Tapping : શું હોય છે ફોન ટેપિંગ ? સરકાર પાસે તમારા ફોન ટેપિંગ કરવાની સત્તા છે ? જાણો શું કહે છે નિયમ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">