IPL 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો ધમાકો, 22 હજાર રન બનાવનારા અને 1347 વિકેટ ઝડપનારા દિગ્ગજોને કર્યા સામેલ

આઈપીએલ 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે તેમની સાથે અનુભવી ખેલાડીઓની સેના ઉમેરી છે. આ અંતર્ગત એક પછી એક તે બધા ટીમનો ભાગ બની ગયા છે.

IPL 2022 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદનો ધમાકો, 22 હજાર રન બનાવનારા અને 1347 વિકેટ ઝડપનારા દિગ્ગજોને કર્યા સામેલ
sunrisers hyderabad players
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 2:20 PM

IPL 2022 : સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2022 (Indian Premier League)પહેલા તેના મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. આ અંતર્ગત ફ્રેન્ચાઈઝીના મુખ્ય કોચ તેમજ બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ (Fielding coach), આસિસ્ટન્ટ કોચ, ફાસ્ટ બોલિંગ કોચ (Fast bowling coach) અને સ્પિન બોલિંગ કોચના નામ પર પડદો ઉઠાવવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબામાં બ્રાયન લારા, ડેલ સ્ટેન, ટોમ મૂડી, મુથૈયા મુરલીધરન, સિમોન કેટિચ અને હેમાંગ બદાની સપોર્ટ સ્ટાફમાં છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાનીને ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટ તરીકે નિયુક્ત કર્યા છે. બદાની ત્રણ વખત તમિલનાડુ પ્રીમિયર લીગ (Tamil Nadu Premier League) વિજેતા ટીમ ચેપોક સુપર ગિલીઝના કોચ રહી ચૂક્યા છે. તેણે ભારત માટે ચાર ટેસ્ટ અને 40 વનડે પણ રમી છે. સ્થાનિક ક્રિકેટમાં પણ તે સફળ નામ છે.

ઓસ્ટ્રેલિયાના સિમોન કેટિચને સનરાઇઝર્સ હૈદરાબાદના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેને આઈપીએલ(Indian Premier League)માં રમવાનો અનુભવ પણ છે. તેની પાસે 56 ટેસ્ટ, 45 વનડેનો અનુભવ પણ છે. તેમણે અંગત કારણોસર ઓગસ્ટ 2021માં RCBના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

લારા બેટિંગ કોચ તરીકે નિયુક્ત

વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર બ્રાયન લારાને હૈદરાબાદ દ્વારા વ્યૂહાત્મક સલાહકાર અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પહેલીવાર IPL ટીમના સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલો છે. લારા વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક છે. તેના નામે 22 હજાર આંતરરાષ્ટ્રીય રન છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાનીને ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો : Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">