AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: વજુભાઈ વાળાનું મોટું નિવેદન, મોરબી દુર્ઘટનાની અસર ચૂંટણી પરિણામ ઉપર નહીં!

વજુભાઈ વાળાએ (Vajubhai vala) જણાવ્યું હતું કે મોરબીની ઘટના સરકારની બેદરકારીના કારણે પણ નથી બની આ મામલે SIT નિમવામાં આવી છે. SIT પોતાનો રિપોર્ટ આપશે  જેમાં પુલ કોના વાંકે તૂટ્યો તે ખબર પડશે.

Gujarat Election 2022: વજુભાઈ વાળાનું મોટું નિવેદન, મોરબી દુર્ઘટનાની અસર ચૂંટણી પરિણામ ઉપર નહીં!
Vajubhai vala in rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 9:43 AM
Share

મોરબી પુલ દુર્ઘટનાને લઈ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે પુલ દુર્ઘટનાની ચૂંટણી પરિણામો પર કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે સરકારની ભૂલના કારણે કંઈ થયું હોય તો ચૂંટણી ઉપર અસર પડે, પરંતુ આમાં સરકારની કોઈ ભૂલ નથી. મોરબીની દુર્ઘટના રાજ્યકક્ષાની ભૂલના કારણે નથી બની. રાજ્ય સરકારની બેદરકારીના કારણે પણ નથી બની આ મામલે SIT નિમવામાં આવી છે. SIT પોતાનો રિપોર્ટ આપશે  જેમાં પુલ કોના વાંકે તૂટ્યો તે ખબર પડશે.

રાજકોટમાં શરૂ થઈ છે ટિકિટની ખેંચતાણ

રાજકોટની  હાઈપ્રોફાઈલ ગણાતી રાજકોટ પશ્ચિમ બેઠક માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટ માગતા રાજકારણ ગરમાયું છે. કારણ કે આ બેઠક પર પૂર્વ સીએમ વિજય રૂપાણી નીતિન ભારદ્વાજને ટિકિટ મળે તેવું ઈચ્છી રહ્યા છે. બીજીતરફ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ પણ લોબિંગ શરૂ કર્યું છે. આતરફ ડેપ્યુટી મેટર દર્શિતા શાહ અને કશ્યપ શુક્લએ પણ આ બેઠક પરથી જ દાવેદારી કરી છે.. જ્યારે કડવા પાટીદાર સમાજે પણ રાજકોટ પશ્ચિમ બેઠક પર જ દાવો કર્યો છે. આ અંગે જ્યારે વજુભાઈ વાળાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે- તમામ લોકોને રજૂઆત કરવાનો હક અને અધિકાર છે. તમામ લોકોએ પોતાના વિચાર પ્રમાણે નામ આપ્યા છે પણ તે આખરી નિર્ણય નથી હોતો. તેમણે કહ્યું કે- તેમનો કોઈ અંગત મદદનીશ નથી, પાર્ટીનો કાર્યકર્તા છે બધાની ભલામણોના આધારે કોઈ એક નામ નક્કી થતું હોય છે. નિરીક્ષકો નામ નક્કી કરીને પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે મોકલે છે

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">