AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir Somnath: શ્રાવણ કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવને કરાયો કેસરિયા પુષ્પોનો શણગાર- જુઓ Video

Gir Somnath: શ્રાવણ વદ કૃષ્ણ સપ્તમીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો છે. ભોળાનાથને 205 કિલો કેસરિયા પુષ્પનો શ્રૃંગાર કરવામાં આવ્યો છે. શ્રાવણ કૃષ્ણ સપ્તમીના અવસર પર સોમનાથ મહાદેવને શૌર્ય અને ત્યાગના પ્રતિક સમાન કેસરિયા પુષ્પોથી શણગાર કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 10:53 PM
Share

Gir Somnath: શ્રાવણમાં કૃષ્ણ સપ્તમી પર સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગનો 205 કિલોથી વધુ કેસરિયા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યુ. મહાદેવના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ કેસરી પુષ્પોથી શણગાર કરાયેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી.

કેસરી રંગ ત્યાગ, જ્ઞાન, પવિત્રતા અને સેવાનું પ્રતિક છે. શાસ્ત્રોમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ અને અર્જુનના રથના ધ્વજનો રંગ કેસરી ગણાવ્યો છે. કેસરી રંગ બલિદાન અને બહાદુરીનું પ્રતિક છે. કેસરી રંગ એ સૂર્યોદય અને સૂર્યાસ્તનો પણ રંગ છે. કેસરી રંગ સનાતન ધર્મના જન્મ, મૃત્યુ અને જન્મના સતત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. સૂર્યની પહેલી કિરણ કેસરી પ્રકાશથી રાત્રિના અંધકારને દૂર કરે છે અને તેજ તેમજ ઊર્જા આપે છે. તેથી જ તે વિશ્વને જગાડનાર માનવામાં આવે છે.

સનાતન ધર્મમાં ભગવો રંગ ઋષિઓ અને તપસ્વીઓ દ્વારા પહેરવામાં આવે છે જે સંસાર છોડી મોક્ષના માર્ગે ચાલી નીકળ્યા હોય છે. સન્યાસીઓ ભગવા વસ્ત્રો પહેરે છે કારણ કે તે સંયમ, નિશ્ચય અને આત્મ-નિયંત્રણનું પ્રતીક પણ માનવામાં આવે છે. સનાતન સંસ્કૃતિમાં કેસરિયા રંગના મહત્વને ઉજાગર કરતો કેસરિયા પુષ્પ શૃંગાર સોમનાથ મહાદેવને કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Gujarati Video: કાણોદર SBI બેંકના પૂર્વ બ્રાંચ મેનેજરે આચરી 1.65 કરોડની છેતરપિંડી, પાલનપુર પોલીસે નોંધી ફરિયાદ 

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">